Category : Gujarati Poem

જન્માષ્ટમી



વિસર્યો જ છું હું ક્યારે કે ફરી એને યાદ કરું,
અજ્ઞાત એ છે જ નહિ કે ફરી એને જ્ઞાત કરું,
જો પોતાનામાં અને પરમાત્મામાં ભેદ જ નથી,
તો હૃષી તમે જ કહો કોના માટે પૂજાપાઠ કરું?


ના કદી હું મંદિરોના વ્યર્થ ફેરામાં સંગાથ કરું,
આદત જ ક્યાં છે મને કે ગોળગોળ વાત કરું,
જાતને ભૂલવા હૃષી સક્ષમ હોવ તો કહેજો મને,
પળમાંજ પરમેશ્વરને ચર્તુભુજ રૂપે સાક્ષાત કરું.



ગત સપ્તાહે આંશિક ભારત ભ્રમણ કરતાં કરતાં મારે વૃંદાવન જવાનું થયું. આમ તો કહેવાતા પવિત્ર ધામોને હું દૂરથી જ પ્રણામ કરું છું પણ આ કેસમાં ગયા વગર છૂટકો નહોતો. વળી મનમાં એમ પણ હતું કે આપણા પરમ ગુરુ અને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણની ભૂતકાળની લીલાભૂમિ લગભગ બે દસકા પછી જોઈએ તો ખરા કે કેવી પરિસ્થિતિમાં છે. 

ગંદકી, ઘોંઘાટ અને અવ્યવસ્થિતતાનો ત્રિવેણી સંગમ આવતાની સાથે જ અણસાર આવી ગયો કે ‘પવિત્ર ધામ’ નજીકમાં જ હશે. જે મિત્ર અને એના માતાપિતા સાથે આ યાત્રા હતી એ આમ તો મારા વિચારોથી સુપરિચિત છે જ પણ તેમ છતાં મેં સ્પષ્ટ કરી દીધું હતું કે કાર પાર્ક થયા પછી ‘દર્શનાર્થીઓ’ એમના રસ્તે અને હું મારા રસ્તે. વૃંદાવનની ગલીઓમાં ડગલે ને પગલે ગાંધીછાપના વિનિમયથી કરાવતા VIP દર્શનરૂપી કન્યાઓના માંગા એક વિરક્ત સાધુની જેમ ઠુકરાવતો, જાણે જ્યાં જ્યાં ભગવાનના પગલાં પડ્યા હોય એને છાણથી ઢાંકીને પોતાનો પ્રેમ દર્શાવવા આતુર બનેલી  અને શ્રીકૃષ્ણના ગમન બાદ સુધબુધ ખોઈ બેઠેલી ગોપીઓની જેમ રખડતી બનેલી ગાયોથી મારી જાતને બચાવતો બચાવતો હું વસુદેવની જેમ મારા હૃદયના ટોપલામાં રાખેલા શ્રીકૃષ્ણ સાથે આગળ વધી રહ્યો હતો.

તે દરમ્યાન મિત્ર કુટુંબની ધીરજ અને સહનશક્તિ ખૂટતાં, એમનાથી થયેલા VIP દર્શનના આશીર્વાદના સ્વીકારરૂપી સંયમચ્યુતના સમાચાર મળ્યા. સાથી સૈનિકોના પક્ષપલટાથી મનમાં થોડું દૂખ તો થયું પણ ઈશ્વરને ગમ્યું તે ખરું અને થયું કે વિશ્વામિત્ર પણ જો મેનકાથી ચલિત થયા પછી પણ બ્રહ્મપદ પામી શકે તો મારા સાથીઓ પણ પછી પ્રાયશ્ચિત કરી લેશે અને મોક્ષમાર્ગે આગળ વધશે.

મંદિર જેમ જેમ નજીક આવતું જતું હતું તેમ તેમ (મૂર્ખ)માનવ મહેરામણ આગળના રસ્તાને ઘેરી વળ્યું હતું. વસુદેવને યમુનાનું જળ જેમ ગળાથી ઉપર વધીને માથા સુધી પહોંચતા જેવી થઇ હશે એવી જ રૂંધામણ મને શરુ થઇ. પણ શ્રીકૃષ્ણને કૃપાસાગર એમ થોડા કીધા છે? જેમ બાળકૃષ્ણે પિતા વસુદેવ માથેના ટોપલામાંથી પોતાનો પગ બહાર કાઢીને જેવો પોતાનો અંગુઠો યમુનાની તોફાની ધારામાં ઝબોળ્યો કે તુરત જ ભગવાનના ચરણસ્પર્શથી ધન્ય થયેલી યમુનાએ વસુદેવને માર્ગ કરી આપ્યો , તેમ કોઈ ચમત્કાર થાય એની હું રાહ જોતો હતો પણ તેવામાં જ એક આકાશવાણી થઇ જે કદાચ મને એકલાને જ સંભળાઈ. આકાશવાણી બોલી ઉઠી કે હે હૃષી, એ તો દેવી યમુના હતી કે માર્ગ આપ્યો, પણ આ જડ-સમુદાય તો પ્રભુ સ્વયં આવીને ધક્કા મારે તો પણ નહિ હટે , માટે એક જ્ઞાની ભક્ત થઈને આવી ઈચ્છા કરીને પ્રભુને ધર્મસંકટમાં ના મુકીશ.

જેવી ઈશ્વર ઈચ્છા સમજીને મેં કદમ પાછા વળ્યાં ત્યાં જ ચમત્કાર થયો. અચાનક જ એક બૂકસ્ટોર પ્રગટ થયો અને મારે બ્રહ્મસૂત્ર અને ગીતાભાસ્યો વિષે જે પુસ્તકો ઘણા સમયથી જોઈતા હતા તે મળ્યા. વળી, શ્રીવિષ્ણુ અને શંકર જોડીમાં ભ્રમણ કરવા નીકળ્યા હોય એમ, બે સાધુઓ પણ ત્યાં આવ્યા અને મારા હાથમાંના પુસ્તકો જોઈને થોડી ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું. બસ આ જ્ઞાન પ્રસાદ લઈને હું પાછો કાર પાર્કિંગ એરિયામાં આવ્યો. જેવા અમે કારમાં બેઢા કે મિત્રની મમ્મીએ ડ્રાઈવરને પ્રશ્ન કર્યો કે, “તમે પણ દર્શન કર્યા કે નહિ?”. ડ્રાઈવરે જવાબ આપ્યો,”બહેનજી, હું તો અહીંયા આવતો જતો રહું છું એટલે તમને દર્શન થયા એટલે બસ. વળી, મારા માટે તો મારા માતાપિતા જ તીર્થ સમાન છે એટલે બીજા તીર્થોના દર્શન થાય ના થાય એનો કોઈ ગમ નથી….”. આ જવાબ સાંભળીને મારાથી પ્રસન્નતાથી હસી પડાયું ને થયું કે આ જ તો ભગવાન શ્રીકૃષ્ણની સ્ટાઇલ છે કે હંમેશા છેલ્લા બોલે સિક્સર મારવી …. 😉

ઘરે આવીને જયારે બીજા દિવસે સવારે શ્રીકૃષ્ણ સાથે હું ચા-કોફી પીતો હતો ત્યારે મેં આ વાત છેડી. તો ઈશ્વર હસતા હસતા બોલ્યા, એમ કાંઈ હું વૃંદાવન છોડીને દ્વારકા આવ્યો હતો. અને લલ્લુ લોકોએ ત્યાં પણ હેરાન કરવાનું ના છોડ્યું તો દ્વારકા પણ મારે સમુદ્રમાં અદ્રશ્ય કરવી પડી… છેવટે મેં પૂછ્યું કે આ બિર્થડેમાં લોકો એવું શું કરે તો આપને ગમશે. પ્રભુનો સસ્મિત પ્રત્યુત્તર હતો કે લોકો પોતાના નાનકડા દીકરા દીકરીઓને કાનુડો ને રાધાના વાઘા પહેરાવે છે એ તો બધું ઠીક છે પણ જો એની સાથે મેં આપેલા ગીતાજ્ઞાનના બે શબ્દો પણ સંભળાવતા અને સમજાવતા હોય તો સારું. કારણકે એના વગર અત્યારે ઇન્સ્ટાગ્રામ લાઈક માટે કપડાં થકીજ બનેલા કાનૂડાઓ મોટા થઈને કંસ જેવા કપૂત અને રાધાઓ રોતડ ને વેવલી બનીને રહી જશે… 🙂


Category : English Poems

The Origin



If everything can be created from basic elements,
Then from where comes, the spirit and sentiments!

Logic is really limited by our perceptual embodiments,
Awareness is the only sublime, rest is just physical sediments,

Material things can never exist without its own impediments,
Be enlightened to feel universe beyond sensual experiments!

True knowledge stands for tearing down religious regiments,
Godliness doesn’t stay inside the stagnant sectorial segments.



What is it that without understanding it, even if you understand everything else, you understand nothing? Or What is it that by just understanding it, you understand everything, even if you don’t understand anything else?

There are things beyond the grasp of our senses which can just detect very tiny part of vast universe. That’s why rising above the physical senses is the first step of Yog. Because how can you connect and feel the unlimited by being limited! A sense of the world devised by our perceptions is very limited. Then our limited ability of logic puts additional restraints on our efforts of understanding the things which are beyond logic. Beyond logic in terms of, beyond your pay-grade if you will! Our definition of ‘existence’ is very rudimentary and just considers the physical aspects of being. True ability of awareness is something most human beings can’t contemplate. That’s the reason that enlightenment eludes them.

Religions even add more blurriness to the already blinded and miserable beings. Subscribing to any religion is like putting a thick faulty monochrome filter in front of the eyes of a person already suffering with limitedly illumined understanding ability. That is the reason that so-called religions or imaginations of God, doesn’t help alleviate the misery of the masses.

Perhaps that’s why Shree Krishna says,

“…. यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्वतः||” (Geeta 7.3)

Sometimes someone from millions of men makes an effort to become a true Yogi. And even from (millions of) those who have become Yogi, hardly a single yogi is able to know/understand about my true nature of existence.

Today is the day to meditate and contemplate on that Krishna-tatva.

જન્માષ્ટમી તો એક નિમિત્ત માત્ર છે આવા આ કૃષ્ણતત્વ વિષે વિચારવાની અને એમાં સમાધિસ્થ થવાની કારણ કે જે જન્મ અને મૃત્યુથી પર છે એના જન્મદિવસ ના હોય. લીલાઓની વાર્તાઓ અને એના અનુકૂળ અર્થઘટનો તો ડોશીઓ અથવા તો એવા ઓછી સમજણવાળા લોકો માટે છે. ( પણ એ બહાને પણ કદાચ એમની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થાય અને ભવિષ્યમાં એ સાચા કૃષ્ણને જાણવા પ્રયત કરે તો એમાં પણ કશું ખોટું નથી ) સાચું કૃષ્ણતત્વ તો ગીતા અને ઉપનિષદોમાં આંશિક રીતે ઝીલાયું છે જેનો અભ્યાસ જો ના કર્યો હોય તો, આજ એનું રીમાઇન્ડર છે.