Category : Gujarati Poem

દેશ (મૂર્ખતા / વાસ્તવિકતા) દર્શન



પ્રજાના  મસ્તિષ્કમાં રહેલો ખાલી અવકાશ જો,
જ્ઞાન-વિજ્ઞાનનો અહીં આ અવિરત ઉપહાસ જો,
અહંકાર,  આડંબર અને અંધત્વનો સહવાસ જો,
પાપીઓના  પુણ્ય પામવાના મિથ્થા પ્રયાસ જો,

કથિત ગુરુઓના ભ્રમિત જ્ઞાનનો બકવાસ જો,
ભોટ ભક્તો  અને ઘેલા ચેલાઓનો ત્રાસ જો,
સંસ્કાર વિહીન  સંસ્કૃતિઓનો  થતો હ્રાસ જો,
મનન ચિંતન વિના સત્યનો રૂંધાતો શ્વાસ જો,

ચૈતન્ય વિહીન મનુષ્યની આ  સડતી લાશ જો,
પૂનમની રાત્રી પણ કેમ બને અહીં અમાસ જો,
શેનો છે રોષ?, આ સર્વની આંખોમાં રતાશ જો,
આ બધા મૂઢમતિને તું પરાસ્ત અને હતાશ જો,

માનવ  મૂર્ખતાનો  આખે  આખો ઇતિહાસ જો,
આમજનનો આર્તનાદ, રાજાઓનો વિલાસ જો,
ભૂતકાળની  ભૂલો માંથી એ શું શીખશે ‘હૃષી’?
અંધશ્રદ્ધા ને ચમત્કાર પરનો એનો વિશ્વાસ જો!



મૂર્ખ લોકોની મેજોરીટી સામે કોઈ વાંધો નથી કારણ કે આમ પણ વિશ્વની 99% વ્યક્તિઓ કોઈ ને કોઈ રીતે મૂર્ખ જ હોય છે. પરંતુ આ દેશમાં તો ઈશ્વરે મૂર્ખતાની લ્હાણી જ કરી છે. પરમેશ્વરે આ ભૂમિની પ્રજાને ભોટ રાખવામાં કોઈ જ કચાશ રાખી નથી.

જો કોઈ માઈનો લાલ કે માઇની લાડી ( સમતા રાખી ઓ.કે.  ) ઉપરની બે લીટી વાંચી ને એમ કહે કે આમાં ઈશ્વરનો શો દોષ? દોષ તો આ દેશની દરેક વ્યક્તિનો પોતાનો છે, આ સમાજનો છે અને આ રાષ્ટ્રનો છે. ઈશ્વરે તો બધા ને વત્તે ઓછે અંશે એટલી તો શારીરિક અને માનસિક ક્ષમતા આપી જ છે કે તે ચાહે તો દરેક વ્યક્તિ  પોતાની ઉન્નતિ સાધી શકે અને એ રીતે એક સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્રનું સંયુક્ત રીતે નિર્માણ કરી શકે. તો તો ધન્ય છે એ વ્યક્તિને. સાચી વાત સમજવા બદલ શત-શત નમન. પરંતુ દુઃખની વાત તો એ છે કે મૂર્ખાઓના આ દેશમાં આવી વ્યક્તિઓ આંગળીના વેઢે ગણાય એટલી જ છે.

સતત બ્રેઈનવોશિંગથી પ્રજા કેવી નમાલી, નપુંસક, દંભી, ભ્રષ્ટ અને અંતે અવિરત દુઃખી કેવી રીતે બને એનું આ દેશ એક તાદૃશ ઉદાહરણ છે. આ જગત તો મિથ્યા છે, સંસાર તો અસાર છે, એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું તો માયા છે વગેરે વગેરે અગડમ-બગડમ રાત-દિવસ લોકોના મનમાં ઠસાવી ઠસાવીને, કહેવાતા વેદાંતીઓ, પ.પૂ.ધ.ધૂ. મહારાજો, સંપ્રદાયો, મઠો, મંડળો, પરિવારો વગેરેના ગરબડ ગુરૂજીઓએ આ દેશની પ્રજાને એક તો સાચા જ્ઞાનથી વંચિત રાખી છે અને ઉપરથી સમાજના ભાગલા પાડીને એને સાવ નિર્બળ બનાવી દીધી છે. ખાડા ના પડે એવા રોડ કે સળગી ના જાય તેવી હોસ્પિટલ બનાવવામાં કે પછી કોઈ પાંચ વર્ષની બાળકીના બળાત્કારીઓને પકડવામાં કે પછી સ્વચ્છ ગામ કે શહેર બનાવવામાં કે સારી શિક્ષણ સંસ્થાઓ બનાવવામાં અહીં કોઈને રુચિ નથી. બસ બધાને મોક્ષ જોઈએ છે અને સ્વર્ગમાં જવું છે. વાસ્તવિકતાથી ભાગેલા બાબાઓ ગુરુ-સેવાથી પુણ્ય કમાવવાની ગોળીઓ લોકોને પીવડાવે જ રાખે છે અને લોકો પણ આવા તીક્ક્ડબાજોના ચરણામૃત પીધે જ રાખે છે. આ દેશમાં ધર્મના નામે નર્યા ધતિંગ જ ચાલે છે. દરેક વાડાવાળો ધીમે ધીમે સિફત પૂર્વક ઈશ્વરને બાજુપર ધકેલીને પોતે પહેલા ગુરુ અને પછી ઈશ્વર બની બેસે છે. બધા ધાર્મિક પુસ્તકોનું પોતાને બંધ બેસતું વિવેચન કરાય છે અને પછી તે જ સાહિત્ય વંચાવાય છે. અન્ય પુસ્તક વાંચવા નિષેદ્ધ હોય છે. બબુચક લોકોને તો તેઓ ક્યારે ઈશ્વરની ભક્તિ કરતા કરતા ગુરુજીની ઘંટડી વગાડતા થઇ જાય છે એની ખબર જ નથી પડતી. પ્રશ્ન પૂછવા પર તો પહેલેથી જ પાબંદી હોય છે. મને તો લાગે છે કે સ્ત્રીઓ વધારે પ્રશ્નો પૂછવાની ટેવ વાળી હોવાથી જ આ ગભરુ ગુરૂજીઓ દૂર ભાગે છે. કારણકે એમને બીક લાગે છે કે આ ચાલાક સ્ત્રી મને મોહિત કરીને મારુ સત્ય બહાર ના પાડી દે. 

જયારે 1945 માં જાપાન પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા અને ચારે તરફ તારાજી હતી ત્યારે વહીવટીતંત્ર બધે મદદ માટે પહોંચી શકે તેમ ના હોવાથી, તેમણે અમુક અમુક અંતરે બોક્સ મૂક્યા અને સૂચના લખી કે આ પેટીમાંથી જેને જરૂર હોય તેમણે રકમ લેવી.  થોડા દિવસ પછી તપાસ કરતા ખબર પડી કે ઘણી પેટીઓમાં તો મુક્યા હતા તેનાથી વધારે રકમ હતી. કારણ કે લોકો એવું વિચારતા હતા કે મારા કરતા તો બીજાને વધારે જરૂર હશે, તો મારાથી જે આપી શકાય તે મારે આપવું જોઈએ. ભોળા ભાઈઓ અને બહેનો, જત જણાવવાનું કે જાપાનમાં લોકોને સુધારવા રામકથાઓ  થતી નથી. અને આ કોઈ હજારો વર્ષ જૂની મનઘડંત વાર્તા નથી પરંતુ દસ્તાવેજી હકીકત છે. આનાથી વિરૃદ્ધ, આપણી મોટાભાગની વિપત્તિઓમાં ચોર અને ભ્રસ્ટાચારીઓને તો મોજ પડે છે. એટલે તો આપણે હજારો વર્ષો જૂની વાર્તાઓ મારી મચડીને કહ્યા કરીએ છીએ કારણ કે વર્તમાન તો બધાને ખબર જ છે.

ગીતામાં ભગવાન શ્રી કૃષણે સ્પષ્ટ કહ્યું છે કે મને જ્ઞાની ભક્ત ગમે છે ( ગીતા 7.17 – હું તમારા ગપ્પીદાસ ગુરુજીની જેમ પુરાવા વગર વાત કરતો નથી). મને ગાંડો, મેલો, મૂર્ખો અને ભ્રષ્ટ ગમે છે તેવું કોઈ શાસ્ત્રમાં પ્રમાણ નથી. પણ ના તો તમારા ગરબડ ગુરુજી ગીતા સમાજે છે ના તો એ એમ ઈચ્છે છે કે તમે ગીતા અને ઉપનિષદો ક્યારેય સમજો કારણ કે એમાં તો પછી ટોળા ભેગા થાય નહિ ને કહેવાતા લંપટ સાધુ સંતોની જમાત ચાલે નહિ. સંન્યાસ શબ્દનો અર્થ થાય છે – ‘જે સારી રીતે સ્થિત છે તે’ ( સ = સારી રીતે , ન્યાસ = નાખવું, મૂકવું, જેમ કે શિલાન્યાસ એટલે શીલા યોગ્ય રીતે મુકાવી ). જે વ્યક્તિ યોગ્ય રીતની માનસિકતામાં સ્થિર હોય તે સંન્યાસી કહેવાય, ભાગેડુ બની અને કોઈ કામ ધંધો કર્યા વગર બીજાના પૈસે અને મહેનતે તાગડધિન્ના કરે એને શું કહેવાય એ મારે અહીંયા લખવું નથી.

આ દેશ દંભી છે એનું કોઈ પ્રમાણ આપવાની જરૂર તો નથી પણ ગમ્મત ખાતર એક વાત કહું. આખા દેશના એકે મંદિર, સંપ્રદાય, મઠ, આશ્રમ કે કોઈ પણ આવી ધર્મના નામે ચાલતી દુકાનની અંદર કે બહાર ક્યાંય પણ મેં આવી સૂચના જોઈ નથી – ‘આ સંસ્થા ભ્રષ્ટાચારથી કે અન્ય અનીતિથી ઉપાર્જિત પૈસાને દાનમાં લેતી નથી. અંધશ્રદ્રાળુઓએ અહીં આવવું નહિ.’ તમે જોઈ હોય તો જરૂર જણાવજો કારણ કે મારો ઈશ્વર તો હંમેશા મારી સાથે જ રહેતો હોવાથી મારે કોઈ આવી દુકાને ઈશ્વર ખરીદી માટે જવાનું થતું નથી એટલે કદાચ મારી ચૂક થતી હોય.

જો તમે આવી કોઈ પણ પ્રવૃત્તિને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપતા હો તો, તમે ગમેતેટલા ડિગ્રીધારી હોવ પણ સાચી વાત તો એ છે કે તમે સાવ ગમાર છો. વત્તા, તમે એક સમાજ દ્રોહી અને રાષ્ટ્ર દ્રોહી પણ છો.

અંતમાં એટલું કહું કે તમારા જેવા બાયલાઓને બચાવવા યુગે યુગે કોઈ આવવાનું નથી. અને જો કદાચ આવે તો પણ એ તો કહેશે કે હું તો નિશસ્ત્ર રહીશ અને  ફક્ત માર્ગ બતાવીશ. તો તમારામાંથી કોની અર્જુન બનવાની તાકાત છે. તમે તો આંધળા છો. ધનુષના બદલે તમે તો તમારા ઘંટ ગુરુજીની અથવાતો એવી કોઈ નમાલી વિચારધારાની ધજા પકડી છે. અરે ડોબાઓ ઈશ્વરે તો માર્ગ ક્યારનો બતાવી જ દીધો છે અને એ માર્ગે ચાલીને આ દુનિયાના ઘણા રાષ્ટ્રો સમૃદ્ધ, સ્વચ્છ, શિસ્તબદ્ધ , સ્વમાની અને સબળ બનેલાં જ છે. ઘુવડની જેમ આંખો બંધ રાખીને અહં બ્રહ્માસ્મિ બોલવાથી કઈ ના વળે. વળી જે દેશની પ્રજામાં પાણી હોય છે એ યુગોની રાહ જોયા વગર જરૂર પડે ક્રાંતિ કરે છે અને સમાજના વિકાસ તથા સુખને અવરોધતી સત્તાઓ અને એવી વાંઝણી વિચારધારાઓને ઉખાડીને ફેંકી દે છે.

મહાભારતમાં શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધ કરવાનું કહ્યું હતું પરંતુ જો તમે અર્જુનની જગ્યાએ હોવ તો તમારા બબુચક બાબા તમને કૈંક આમ કાનમાં કહેશે કે ચાલ ને બેટા મૂક આ સંસાર અને આપણે કોઈ મંદિર, મઠ, સંપ્રદાય કે સંસ્થા ખોલીને ચલમ ફૂંકાતા ફૂંકાતા જલસા કરીશું. આ બધું તો માયા છે. અને મને ખાતરી છે કે તમે ભોળવાઈ જાત. વાત ના ગમી? કેમ તો અત્યારે શું કરો છો?

જે સમાજ નો આદર્શ ભાગેડુ ભિખારીઓ અને ભ્રસ્ટાચારીઓ હોય તેની પાસેથી કોઈ પણ જાતની સ્વમાનની કે સુશિક્ષિત થવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે.

Category : Gujarati Poem

Buddh


કેમ  કરી  બુદ્ધને  તમે  ખોટી આભામાં રાખો?
મુક્ત મનના  કોઈને કેમ કરી તાબામાં રાખો?
શું ફર્ક પડે જે સ્વયમ બદ્ધ અને મૂર્ખ છે ‘હૃષી’,
એને  ભલે  આજીવન કાશી કે કાબામાં રાખો!



Here are another few lines to expand on the subject of illusion further.

“Nihil admirari” – This Latin phrase can be translated as ‘to be surprised / astonished by noting’ has been considered as one of the qualities to have in order to be and remain happy.  Geeta (2.29), with ” आश्चर्यवत् पश्यति कस्चिदेनम् …. ” and Kathopanishad (1.2.7) also alludes to the similar thoughts, albeit with more depth and discussion.

Let me explain.

People get surprised ( good or bad ) by something which they have never thought about / imagined or from something incomprehensible.  But a ‘Buddh’ ( FYI, it’s not Buddha but just Buddh ) – the one who knows the essence of the things – has nothing to be surprised about.  Since there is nothing new under the sun and it’s just an interplay between nature’s various characteristics ( Geeta -3.28 – “गुणा गुणेषु वर्तन्त “). Thus, such person can never be fooled by outwardly ostentatious stuff.

Now, when you know it through, you never lose the objectivity of the things and are able to see the things clearly.  You escape the unnecessary entanglements in the form of useless desires or expectations. That unburdens you and eventually makes you totally free! That free person – A real Buddh with such free mind is never going to surrender to anyone.  Only a person like Diogenes who has understood the real freedom can dare say to Alexander the great to move out of the way from the sunlight falling on him with total disregard to useless worldly achievements.

And as we can see, most people are tied to their self created webs and refuse to learn anything. But still they keep on complaining about their current state of affairs and wish for freedom, which ironically is another such entanglement!

Change of people around you or a change of place is not what one needs to feel free and happy. It is the knowledge and realization about the truth, which makes you free and joyful instead.


Category : Gujarati Poem

Bhram


માણસને પણ કેવા કેવા ભ્રમ હોય છે,
હું  છું  કૈંક એવો સતત અહમ હોય છે,

જે  બણગા ફૂંકતા બહાદુરીના સતત,
એમનામાં  ક્યાં ખરેખર દમ હોય છે,

બહાર જેઓ  લાચારીથી નરમ હોય છે,
ઘરમાં કેમ અત્યાચારી ને ગરમ હોય છે?

બુદ્ધિમતા જેની વખણાતી જગતમાં,
વ્યાહારિકતા એમાં કેમ કમ હોય છે?

જગ  જાણીતા જેના સર્વ કર્મ હોય છે,
ખાતા એ પાછા અન્યના સમ હોય છે,

લોકસેવક બનતા જે હરદમ હોય છે,
જીવન ટૂંપતા એ જ તો જમ હોય છે,

સામે ના બોલવામાં જ નવ ગુણ છે ‘હૃષી’,
બેવકુફોમાં ઊંધો જ ઉત્ક્રાંતિ ક્રમ હોય છે.



One person, multiple lives!

There are always at least three different kinds of personalities co-exists inside an individual. One, what he really is ( which he’s hardly able to discover! ), second is what he pretends to be and third is what he really wants to be.

The second type is the root cause of fake existence of all individuals. Interesting thing is that if we take away all pretensions then it is very dangerous for social existence. Imagine what if everybody is able to read each other’s thoughts. So these social reciprocal relationships are all flowering on the fakeness and hang on a fragile thread of phoniness.

The third type, which actually drives all human beings is inherently related to the undiscovered inner self – the first type. Because what you want yourself to be in future is subtly driven by your innate characteristics. The reason why a human being is naturally disposed to particular things and thoughts is his innate characteristics.

So what are your three different states of existences? Time to think 😉


Category : Gujarati Poem

Loko Sukhi Hota Nathi


લોકો સુખી હોતા નથી
————————————————————

કારણ એનું એ જ છે કે લોકો સુખી હોતા નથી,
લોકો જ્યાં હોય છે ત્યાં એ ખરેખર હોતા નથી,

પ્રયોજન વિના પ્રેમના બે શબ્દો કહેતા નથી,
લોકો  બસ આનંદથી  ખળખળ વહેતા નથી,

કોઈક તરફ આંગળી ચિંધ્યા વગર રહેતા નથી,
પક્ષપાત વગર એ કદી સમતાથી રહેતા નથી,

નાનીશી વાતમાં પણ બોલ્યા વગર રહેતા નથી,
લોકો ક્ષણિક  ગમ પણ  કદી સહજ સહેતા નથી,

મૂર્ખતા મનુષ્યોની સર્વ વિદ્વાનોને તો વિદિત છે ‘હૃષી’,
છતાં પણ  એને સુધારવા  એ  કેમ કશું કહેતા નથી?


It’s simply difficult to be simple! Among million reasons to be unhappy, one of the most important is, not to be where you really are.

Comically speaking, it is like a person who keeps thinking about spouse while being with paramour and missing the romantic adventure when locked up with so called significant half. LOL. (Yes, I have intentionally avoided using he/she because now it’s the age of equality and both are having the same amount of illicit fun these days anyway with impending future problems. Ohh, not shaming anyone, rather being sympathetic for those who have been immaturely institutionalized ). 😉

The hypocrite society which stifles and stigmatizes the expression of love but doesn’t do anything to hinder the hatred is destined to be miserable.  Eventually it rests on the individuals how to behave but even wisest of wise don’t want to be bothered to advise them on how to be happy because you know why! Exactly, dumb don’t change. Otherwise unlimited fun is just right on the corner. 🙂


Category : Gujarati Poem

The World Is Just A Story



જગત છે એક વાર્તા
——————————————————————————————–

આ જગત છે એક વાર્તા એ જાણતા ઘણા વરસ લાગશે,
પછી એના બધા પાત્રો અને કથાનકો બહુ સરસ લાગશે,

દુઃખી  જ રહેશે એ,  જેને બધું  ભિન્નતા ભરેલી જણસ લાગશે,
મેળવશે એ અહર્નિશ આનંદ, જેને સહુ સર્વથા સમરસ લાગશે,

કુમતિ  જે  છે  એને  તો  આ  કૃષ્ણ  પણ  હવે  કંસ  લાગશે,
મૂર્ખાઓના  મેળાવડા  તો  એને   શુભ્ર   જ્ઞાની  હંસ  લાગશે,

શોધ્યા  કરશો જો  એને અહીં તહીં,  તો પછી વરસો ના વરસ લાગશે,
જાણી જશો કે એ તો છે મહીં, તો મિથ્યા બહારની બધી તરસ લાગશે,

પ્રકાશ અને અંધકાર ની જેને  છે ખબર,  એ જ્ઞાનીને જ ફર્ક લાગશે,
નાસમજ  ને  જો  આપો  સ્વર્ગ,  તો  પણ એને તો એ નર્ક લાગશે,

કહેતા પહેલાં જરા વિચાર તો કરો, કે વાત સાંભળીને કયો મૂર્ખ જાગશે,
ભલે  એ  સત્ય  હોય ‘હૃષી’,  પણ શ્રદ્ધા વિના તો એ ફક્ત તર્ક લાગશે.



Everybody knows, and still somehow they don’t! Isn’t it funny?! Everybody seems to know some sort of philosophy which tells them that what you see is not really what you get, but still they are not able to grasp the reality! Yes, the reality of reflection. Reflection of your own projections, sometimes you get it back as expected and most of the time, as some kind of distorted, mingled menagerie.

As Krishna describes in Geeta that the one who really knows the essence of the things, remains unperturbed by the circus around. Same as the ‘projection wall’ of the cinema hall remains as it is, even though all sorts of movies are being projected on it. Audience experiences the thrill with mixed emotions of sadness and happiness, but only the ‘projection wall’ seems to know that all this is not real!

That unperturbed and enlightened soul is call Sthitpragnya by Shree Krishna in Geeta. Until and unless you come to know what this cinema is all about and learn to detach yourself from unnecessary role playing, your existence is mere misery.