Category : Gujarati Poem

Dashera



દશેરા


રામ નામે પથ્થર તરે પણ ના સુધરે અહીં મનુષ,
મૂર્ખ મનુજ માટે જ ધારણ કરે શ્રીરામ પણ ધનુષ


રામરાજ્ય એટલે એવું રાજ્ય કે જ્યાં ફક્ત બે જ વિકલ્પ હોય – ( જાત ) સુધારો અથવા શિરચ્છેદ. વચ્ચેના કોઈ સેટિંગને રામરાજ્યમાં અવકાશ નથી.

પ્રભુ શ્રીરામને જયારે લાગ્યું કે દસ માંથા હોવા છતાં જો લંકાપતિ રાવણ એક મગજ ના વાપરી શકતો હોય તો પછી એ બધા માંથાઓને ધડ પર રહેવાનો કોઈ અધિકાર નથી. પછી ભલે એ ભગવાન શિવે જ કેમ ના આપ્યા હોય.

હનુમાન લંકા દહન કરી પાછા ફરતા પહેલા જયારે માતા સીતાની અનુમતિ અને સંદેશ લેવા જાય છે ત્યારે સીતાનો સંદેશ જાણવા જેવો છે. સીતાએ રામને કોઈ સમાજ સુધારા માટે પ્રોત્સાહિત કરવાની વાત નથી કરી. સીતા હનુમાનને કહે છે કે,

તાત સક્રસુત કથા સુનાએહુ |
બાન પ્રતાપ પ્રભુહિ સમુઝાએહુ
||

(રામચરિતમાનસ – સુંદરકાંડ – 26 )

અર્થાત, હે હનુમાન પ્રભુ રામને ઇંદ્રાપુત્રની વાત યાદ અપાવજો અને પોતાના ધનુષનો પ્રતાપ સમજાવજો. પબજી વાળી પબ્લિકને રામાયણ યાદ નહીં જ હોય એટલે ટૂંકમાં કહેવાનું કે, એક વખત ઇંદ્રાપુત્ર જયંતે સીતાનો સ્પર્શ કરવાની કોશિશ કરી હતી અને રામે એ ‘અડપલાબાજ’ ઇંદ્રાપુત્રના પ્રાણ હરિ લીધા હતા. રામના બાણ પ્રહાર પછી એ ભાઈ દોડતા દોડતા ઇન્દ્ર, બ્રહ્મા અને સ્વયં ભગવાન શંકરના શરણે જાય છે પરંતુ બધા એક જ ઉત્તર આપે છે – રામ બાણ અમોઘ છે બાળક, બ્રહ્માંડની કોઈ શક્તિ હવે ના બચાવી શકે ! જયારે રાવણેતો સીતાનું હરણ કર્યું હતું એટલે આ પાર્ટીની તો ગેમ ઓવેર જ હતી.

આમાં સીતા અને હનુમાન બંને જાણે છે કે રામને કાંઈ યાદ કરાવવાની જરૂર નથી છતાં, જડ જનસામાન્ય માટે આ સંવાદ છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે, સમજાવીને લાડપ્રેમથી સમાજ સુધારણા એક હદ સુધી જ શક્ય છે, પછી મગજ વગરના મનુષ્યોના સમાજે પોતાના લાડકવાયા લલ્લુઓ માટે સામુહિક બેસણાની તૈયારી કરવી જોઈએ. 😉

જાય શ્રીરામ 🙂