Category : Gujarati Poem

રાજકારણી રંગલો



એક રંગલો છે રંગભૂમિનો ખરો કલાકાર,
એની લીલાનો જનતા કદી ના પામે પાર,

સત્તાભૂખ  એ  જ એના સર્વ કર્મોનો સાર,
ઠેર ઠેર મીડિયામાં એના ગપ્પાનો પ્રચાર,

એક આપીને દસ લેવાનો એનો વ્યવહાર,
લલ્લુ જનતા જાય લુંટાતી બનીને લાચાર,

ઉલ્લુ પ્રજા સુજાવે છે હાસ્યાપદ ઉપચાર,
જમણાને તો બહુ માર્યો હવે ડાબે તું માર,

ગુંડા-લુખ્ખાઓ પર પાર્ટી કરતી ઉપકાર,
બેવકૂફોની ટોળીથી જ એ ચલાવે સરકાર,

એના તોતિંગ તાયફાનો પ્રજા પર બહુ ભાર,
મૂર્ખાઓને મન આ જ તો છે ધરમની સરકાર,

કૃષ્ણ કહે, હૃષી રંગલાઓનો અહીં નથી પાર,
વાઢવા બેસું તો બુઠ્ઠી પડે આ સુદર્શનની ધાર.



બૉલીવુડના કલાકારો પણ દિલ્લીની જાત્રાએ જાય છે કરણકે આ નટનટીઓના ઇષ્ટદેવ ત્યાં શાક્ષાત બિરાજે છે. વર્ષોથી એકના એક જ ગપ્પાંવાળા ડાયલોગ બોલીને બહુમતી કેમ મેળવાય એ કલા એમને હસ્તગત છે.

ધૃતરાષ્ટ્રની સત્તા લોલુપતાએ તો પોતાના જ વંશનો અને સાથે સાથે લખો નિર્દોષોનો નાશ નોતર્યો. કંસે તો સત્તા ટકાવવા વ્રજના અગણિત બાળકોના જીવ લીધા. આખો દેશ આ કથાઓ જાણતો હોવા છતાં કોઈ બોધ લેતો નથી. એ જ સાબિતી છે કે મનુષ્ય જાણે છે ઘણું પણ આચરણ અને બોધ વગર બધું વ્યર્થ છે.

ઉપરોક્ત ઉદાહરણ અત્યારના સત્તા સ્વાર્થી રાજકારણીઓને બખૂબી લાગુ પડે છે. દેશમાં લખો લોકો મરે છે પણ અવતારપુરુષ તો અન્ય પ્રાંતોમાં ધર્મધજા લહેરાવવામાં મશગુલ છે. અરે ભાઈ સત્તા લઈને પણ તારે કરવું છે શું એ તો કહે? દિલ્લીમાં પ્રવર્તમાન સરકાર કોઈ સારા કામ ના કરી શકે એ માટે રાતોરાત કાયદો લાવીને લ્યુટેનન્ટ ગવર્નરની સત્તા વધારીને કેન્દ્ર સરકારે એ તો સાબિત કરી જ દીધું છે કે, “હું સારું તો કરતો નથી પણ કોઈને કરવા દેતો પણ નથી” એ જ સૂત્ર સાથે અમે સબકા વિનાશ હમારા વિકાસના એક માત્ર ધ્યેય માટે કાર્યરત છે.

એક તસુભાર પણ સત્તા જતી ના રહે એની બીક આ અવતારપુરુષને એટલી બધી છે કે એ બધી જગાએ એવા જ મંત્રીઓની નિમણૂંક કરે છે કે એ ફક્ત એમના ધાવણ પર જ નભતા હોય. અત્યારે જયારે એવા સ્થાનિક વહીવટી અધિકારીઓ અને મંત્રીઓની જરૂર છે કે જે જનસેવામાં ત્વરિત નિર્ણયો લઇ શકે ત્યારે અહીં ફક્ત અબુધ ધાવતા બાળકો જ રમ્યા કરે છે.   

અત્યારે થતા મોટાભાગના મોત માટે સરકારની અણઆવડત જવાબદાર છે. તમને જો એવું લાગતું હોય કે આ કોરોના તો વૈશ્વિક મહામારી છે અને થોડા સમય પછી જતી રહેશે પછી તો જલસા જ છે. તો હે અલ્પબુદ્ધિ વડીલ આ વાત કોતરી રાખો કે આપના દાદાશ્રી અને પિતાશ્રી પણ આવું જ વિચારતા હતા અને એમની વિકેટ પડી ગઈ છે. જો તમે અત્યારે જેમ તેમ બચી જશો અને આવી જ જડતા જાળવી રાખશો તો નજીકના ભવિષ્યમાં તમે પણ પૂરતી તબીબી સુવિધાના અભાવે કે આપના માનીતા મંત્રીશ્રીની અણઆવડતના પ્રભાવે રન આઉટ થશો. વધુમાં આપનો કુલદીપક કે દીપિકા પણ કયા વાવાઝોડામાં હોલવાઈ જશે એની ખબર પણ નહિ પડે. માટે જ કહું છું કે આપના પૂર્વજોએ કરેલી ભૂલોને સુધારો અને એક સુગઠિત સુશાશનયુક્ત સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે આજથી જ પાયો નાખો. નહીંતર જો કોરોનામુકત હોવ તો અભણ, લુખ્ખા અને ભ્રષ્ટાચારીઓને વહીવટ સોંપવાનો સ્વાદ તો આપ ચાખી જ રહ્યા છો.


અર્જુન : હે કેશવ, આ પ્રજા કહે છે કે કોઈ વિકલ્પ નથી. શું એ વાત સાચી છે?

શ્રીકૃષ્ણ ( સસ્મિત ઉત્તર આપે છે ) : પાર્થ, વિકલ્પો તો હંમેશા હતા, છે, અને રહેશે. પણ મનુષ્યની મૂર્ખતા દ્વારા એ ઢંકાયેલા રહે છે.

અર્જુન : વાસુદેવ, મારુ મન તો આ અકારણ ઢળતી લાશોના ઢગલા જોઈને વ્યથિત થઇ રહ્યું છે.

શ્રીકૃષ્ણઃ એમના કર્મનોનું ફળ એમને ભોગવવા દે પાર્થ. મેં એમને બુદ્ધિ આપી જ છે. જો ઉદ્ધાર કરવો હશે તો વાપરશે…


Category : Gujarati Poem

કબૂતરોના માળા



સરકાર એક માંદલી ગાય,  અધિકારી  બધા પાડા જોયા,
સેવાના નામે દેશ લૂંટવા, ઉતરતા મંત્રીઓના ધાડા જોયા,

માતૃભૂમિ વેચી બનાવેલા, મંત્રીના શ્વેત મહેલ જેવા માળા જોયા,
નોટબંધીના ચશ્મા પહેરી, પ્રજાના પરસેવાના ટીપાં કાળા જોયા,

ખાયકીના ખુમચા પર ખટમધુરા ભ્રષ્ટાચારી ભાણા જોયા,
સ્વચ્છ ભારતની વાતો કરતા, મંત્રીઓ બહુ શાણા જોયા,

બીલો બનાવતા બનેવીઓ તો ક્યાંક મંત્રીના સાળા જોયા,
જનસેવામાં નીચ નેતાઓના પ્રત્યક્ષ કૌટુંબિક ફાળા જોયા,

નેતા તો બધા કલાકાર, ને પ્રજામાં બધા અંધ કે કાણા જોયા,
ગામે  ગામ  ગજાવી ગવાતા, વ્યર્થ  વિકાસના  ગાણા જોયા,

રસ્તા વચ્ચે ખાડા કે ખાડા વચ્ચે રસ્તા?, ‘હૃષી’ ખબર પડે તો કેજો,
કઈંક ખોદવામાં તો કઈંક પુરવામાં, વેડફાતા અમારા નાણા જોયા,

મનગમતા  મૂરખના  પગે,  અહીં  અમે  લોક  પડેલા  આડા  જોયા,
નપુંસકોથી શું વળે ‘હૃષી’, ઘેરઘેર બસ ગભરુ કબૂતરોના માળા જોયા.



પ્રજાસત્તાક એટલે કે જ્યાં પ્રજાના હાથમાં સત્તા હોય. પણ અહીં તો પ્રજાના હાથમાં સત્તા નહિ શકોરું છે અને એ પણ કાણું. ( ‘ગ’ વર્ગના ગુજરાતીઓ માટે – શકોરું એટલે તુચ્છ ભિક્ષાપાત્ર )

આજે ફરી એક વાર,

– દેશના વીર જવાનો વાહિયાત રાજનેતાઓને સલામી ભરશે

– વીર ઘોડેસવાર સેનાનીઓ ગધેડાઓની જમાતની આસપાસ ઘૂમશે

– વિદેશી ફટાકડાનું દેશી નામાંકરણ સાથે પ્રદર્શન થશે

– દેશમાટે બેઝિઝક જીવન સમર્પિત કરવા તૈયાર યોદ્ધાઓ, જંગલી અને જડભરતોની જમાત કે જેણે પોતાની જીભ હલાવવા સિવાય કોઈ કામ નથી કર્યું  એને સલામી આપશે

– જે દુષ્ટોની દ્રષ્ટિ પણ જો આપણા પવિત્ર રાષ્ટ્રધ્વજ પર પડે તો એમના શીશ ધડથી અલગ થઇ જવા જોઈએ એવા ધૂર્તરાષ્ટ્રો, દુર્યોધનો અને દુઃશાસનો જેવા શેતાનોના હાથે ધ્વજ ફરકાવવામાં આવશે.

– વિકૃત અને ફક્ત વાણીવિલાસમાં રાચતા રાજનૈતિક રાક્ષસો પર વિમાનો દ્વારા પુષ્પવર્ષા થશે

– દેશના નટસમ્રાટો, નીચ વાસ્તવિકતા એવી નાટ્યાત્મકતાથી રજુ કરશે કે જાણે આ નભોમંડળમાં આ જ એક ‘સ્વર્ગાદ અપી ગરિયસી’ હોય

– રાજનેતા રંગલાઓ આ રંગમંચ પર નવા નવા રંગબેરંગી વસ્ત્રપરિધાનોમાં પોતાના કાળા કરતૂતો અજબ રીતે છુપાવી દેશે

– દેશના કહેવાતા સારસ્વતો, બુદ્ધિના બળદોના હાથે પદવીઓ ગ્રહણ કરશે  ( કહેવાતા એટલા માટે કે જે કોઈ પણ વ્યક્તિ આવા કુકર્મીઓના હાથે સન્માનિત થવાને પોતાનું સૌભાગ્ય માને છે એને હું નીચલી કોટિના ગણું છું અને આ માં સરસ્વતીની કૃપા સંપદાનું હળહળતું અપમાન છે )

– અને હંમેશની જેમ, આજે પણવ્યંઢળ વસ્તી તાળીઓ પાડતી રહેશે

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલી પહેલી સલાહ છે “કલૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ … ( ગીતા 2.3 )” –  હે પાર્થ, તું નપુંસકતાને વશ ન થા ….. 

કારણકે નિર્ભય વ્યક્તિઓ જ એક શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

ખસી કરેલા કે ખરીદાયેલા ગાંડાઓનું ગણતંત્ર કેવું હોય?

– જો આ પ્રશ્ર્નનો જવાબ તમને ખબર ન હોય તો તમે એક નંબરના _______ છો

– જવાબ ખબર હોય પણ એને બદલવા તમે કાંઈ કરતા નથી તો ઉપરોક્ત વિશેષણો તમારા જેવા માટે જ છે