Category : Gujarati Poem

સુનો ભાઈ સાધો



જહાં રઘુકુલ રીત ઐસી ચલી આઈ,
પ્રાણ જાએ પર બચન ન જાઈ,
ઇહાં ગપ્પીદાસ હી રામ મંદિર બનાઈ,
અબ ક્યા સોચત હોવે રઘુરાઈ ?!!

જહાં પ્રભુ કિશનજી ને ગીતા હૈ ગાઇ,
જ્ઞાન ભક્તિ કર્મ સબ હી સિખાઈ,
ઇહાં ઉલ્લુ અનપઢ હી અબ રાજ ચલાઈ,
તો કા સિખત હો મહાભારત સે મેરે ભાઈ?!

સચ બાત હૃષી યે ગંવાર સુન નહિ પાઇ,
નાત-જાત ધરમ-કરમકી રુઇ જો કાન લગાઈ,
મૂરખ જાત, અબ જૈસી કરની વૈસી ભરની પાઇ,
ખુદ કછુ કરત ન ચાહી, કાહે કરત રામજી ઉસકી ભલાઈ?



દશેરા નિમિત્તે માજી લંકેશ રાવણનો ખાસ ઇન્ટરવ્યૂ. ( દહન પહેલા. દહન પછી ક્યાં જાય છે એ પંચાતમાં અમે પડતા નથી. ) 😉

પ્ર : આપના દસ માથા છે તો સૌ પ્રથમ આ દેશવાસીઓને એ જાણવાની ખુબ ઉત્સુકતા છે કે આપ દસે માથા માટે અલગ અલગ શેમ્પુ વાપરો છો કે પછી એક જ?

જ : વોટ નૉનસેન્સ. કેમ અક્ષયભાઈ જેવા વાહિયાત પ્રશ્નો પૂછો છો? આ કોઈ તમારા કલાકાર પ્રધાનનો ઇન્ટરવ્યૂ નથી કે કેરી ચૂસીને ખાવી કે કાપીને જેવા સવાલો પૂછીને મારો સમય બગાડો છો. જે પૂછવું હોય તે બેધડક સીધે સીધું પૂછો, દહનનું મુહૂર્ત જાય છે.

પ્ર : સોરી સોરી. ઓકે સીધો સવાલ. રામજી સાથેના સંગ્રામમાં વીરગતિ પામેલા આપના યોદ્ધાઓના ડેથ સર્ટિફિકેટ માં લંકાની સરકારે મૃત્યુનું શું કારણ દર્શાવ્યું હતું?

જ : વેલ, ઓફ કોર્સ, ‘પ્રભુ શ્રીરામજી દ્વારા વીરગતિને પ્રાપ્ત’. જેથી દરેક યોદ્ધાને સ્વર્ગમાં યોગ્ય સ્થાન મળે. જુઓ અમારે તમારી સરકારની જેમ કાંઈ છુપાવવાનું કારણ નહોતું કે નહોતા અમારે દરેકને અમુક રકમ આપવાના વાયદા કરી ડેથ સર્ટિફિકેટ માં અગડંબગડં કારણો આપીને ઉલ્લુ બનાવવાના.

પ્ર : સાંભળ્યું છે કે આપનો પુત્ર ઇંદ્રજીતતો આપ કરતાં પણ પ્રતાપી હતો. તો આવી યુવાપેઢીના ઘડતર પાછળનું કારણ શું?

જ : જુઓ ભાઈ, પહેલાતો એ વાતની ચોખવટ કરી દઉં કે, લંકાની ચારેકોરનો દરિયાકિનારો તો આપડા બાપાનો જ છે એમ સમજીને જો ઈંદ્રજિત કોઈ વિલાસયુક્ત-નૌકામાં ચરસ ગાંજો ફૂંકતો હોત તો, મારા આ શિવજીએ આપેલા ચંદ્રહાસ ખડગથી જ એનું ડોકું…

પ્ર : અરે રાવણભાઇ શાંત થઇ જાઓ નહીંતર દહન પહેલાં જ સળગી જશો.. જસ્ટ કિડિંગ..

જ : હા હા, ઓકે, બેક ટુ ધ પોઇન્ટ. દરેક વ્યક્તિના વિકાસ માટે પહેલાં તો જરૂરી છે કોઈ રોલમૉડેલની. મારા રોલમોડેલ હતા, શિવશંકર. મારા ભાઈઓના પણ તેઓ જ આદર્શ હતા. વિભીષણના તો શ્રીરામ પણ ખરા. મારો પુત્ર પણ મારાથી પ્રેરાઈને પ્રખર શિવભક્ત બનેલો. તમે જ કહો કે જો હું જ માવો મસળતો બાપ હોત તો શું ખાખ મારો પુત્ર મહાદેવને પ્રસન્ન કરી શકત. આ અત્યારના તમારા સો કોલ્ડ સ્ટાર્સ જુઓ. આ હલકટ ખાન ત્રિપુટી શું ત્રિપુરારીની સમકક્ષ આવી શકે? ક્યાં આ નશેડી, બંધાણી, સાયકો, પાગલ, ડિપ્રેસ્ડ પપૂડાઓ અને પપુડીઓ અને ક્યાં કૈલાસનિવાસી પિનાકપાણી અને પાર્વતી.

પ્ર : અંતમાં રામરાજ્ય પર બે બોલ…

જ : જેવા હલકટ રાજકારણીઓ આ દેશ ચલાવે છે અને જેવી નાલાયક નપુંસક જનતાથી આ દેશ ભરેલો છે એ જોતા તો રામરાજ્ય તો દૂર તમે આવતા હજારો યુગો સુધીતો રાવણ રાજ્ય પણ નઈ લાવી શકો. મારી લંકા સમૃદ્ધ, સુસાશિત અને સુવર્ણની હતી. તમારી જેમ ભિખારી, અવ્યવસ્થિત અને ગંદકીથી સૂગ ચડે એવી નહિ. અરે ભાઈ જલદી કરો અને રોકેટ છોડો ને બાળો મને, આ પૃથ્વી પરના નર્ક કરતા તો…..

ત્યાંજ કોઈક રખડતી ગાય મંડપમાં ઘુસી ગઈ અને બે ચાર ને શિંગડે લીધા. દોડાદોડી અને ધમાલમાં દીપપ્રાગટ્ય માટે રાખેલી મીણબત્તી નીચે પડી અને આખો મંડપ સળગ્યો ને ભેગુ રાવણનું પણ દહન થયું. જેના હાથે રાવણ દહન કરવાનું હતું એ મંત્રી આ જોઈને ગિન્નાયા પણ શું કરી શકે. મંત્રીએ કોઈકે આપેલું ફાફડા જલેબીનું છાપાનું પડીકું પણ ત્યાંજ ફેંક્યું. જેવું પડીકું ખુલ્યું કે સમાચાર હતા – “….અધિકારી ગાયો ના પકડવા માટે રૂ. 10,000ની લાંચ લેતા પકડાયા … “. 😉

રાવણનું અટ્ટહાસ્ય … મૂર્ખ મંત્રી, તારી મને બાળવાની હેસિયત નથી… જો હું તો જતાં જતાં પણ પ્રજાને અને બાળકોને આનંદ કરાવતો જાઉં છું…પ્રકાશ ફેલાવતો જાઉં છું… જય શ્રીરામ… 🙂

Category : Hindi Poem

सल्लु और गोदी भैया



( राधे-राधे से राम-राम तक )

Disclaimer

यह व्यंग रचना काल्पनिक घटनाओ पर आधारित है।  इसका किसीभी जीवित और मृत व्यक्ति से कोई संबंध नहीं है। यहाँ निदर्शित मानव चरित्र यदि आप के किसीभी पूज्य देवपुरुष से मिलता जान पड़े तो इसे केवल एक संयोग मात्र समझे और ज्यादा दिमाग मत चलाये। 😉

चेतावनी

कविता का शीर्षक पढ़ते ही यदि आप के दिल में ( सभी मन्युष्योमें में दिमाग का होना आवश्यक नहीं ) खलबली मचे तो आगे मत पढ़े।  व्यंग रचना पढ़ने के बाद यदि आपका दिमाग चलने लगे और आपकी आपके इष्टदेव से जुडी भ्रान्ति नष्ट हो जाये, जिससे आपको आपके मूढ़ भूतकाल पर शर्म आए और अपनी बचकानी सोच पर घृणा उत्पन्न हो तो तुरंत इलाज करवाए । कृपया सावधानी बरते क्योंकि दिमागका सही इस्तेमाल करना सबके बस की बात नहीं। 😉



सल्लु और गोदी भैया
( राधे-राधे से राम-राम तक )

———————————————

एक शर्ट फाड़ के दिखाता है दूसरा शब्द चुन चुन के घूमता है,
मतलब कुछ नहीं लेकिन पब्लिक को मज़ा बहुत आता है,

एक मूवी में, एक टीवी पे, वही घिसीपिटी कहानी दोहराता है,
पता नहीं एक बार बार प्रेम और एक पीएम कैसे बन जाता है,

एक फुटपाथ पर गाड़ी चलाता है दूसरा देश खड्डे में गिरता है,
देखो भाईओ बीवी बिन आदमी ऐसे ही बिग बोस बन जाता है,

इनको जो सलाम ना ठोके वह कहीं भी टिक नहीं पाता है,
दोनोंही कितने घमंडी है यह देखते ही पता चल जाता है,

बिना दिमाग की मूवी और जनमन से महत्तम दुरी का वादा है,
आवारा दोनों का बेतुकी और दीवानेपन से जनमों का नाता है,

शिकार और सरकार का खेल दोनों के मनको लुभाता है,
इनके करतब देख मूढ़मति तो बस भक्त बन जाता है,

कहिये, सल्लु और गोदी भैया का किस्सा क्या बतलाता है?
भैया इस देश में सदियों से कोई दिमाग नहीं चलाता है।



चूँकि इस व्यंग रचना में सल्लु और गोदी भैया जैसे महानुभावो का ज़िक्र किया गया है, इसका कदापि यह मतलब नहीं है की भारतबर्ष की  जनताको  बुद्धिहीन बनानेमें इनका कोई दोष है। इससे विपरीत, ऐसे व्यक्तिओं का लोगोके दिलो (यहाँ दिमाग की बात करना उचित नहीं ) पर छा जाना ही यह प्रमाण है की अधिकांश जनता बुद्धिहीन है। व्यक्ति पूजा यहाँ के जनमानस का ऐसा दूषण है की स्वयं भगवान भी इन बुज़दिलो से इस मामलेमें बहस करने की भूल से भी चेष्टा न करेंगे।  यह दो महाशय अपने क्षेत्र से जुडी हुई इसी बेवकूफी का उत्कृष्ट उदाहरण है।

गोदीजी अपने आप को जनता का प्रधान सेवक बतलाते है। यद्यपि एक सेवक के क्या गुण होने चाहिए इससे यह महाशय अभी पूर्णतः अवगत नहीं लगते।  एक अच्छा सेवक पहले तो अपने मालिक की बात ध्यान लगाकर सुनता है, फिर उसे समझने का प्रयास करता है और अंत में पूरी निष्ठा से अपने कर्तव्य का पालन करने का प्रयास करता है। जनतंत्र ( Democracy ) में जनता मालिक है और चुने हुए नेतागण कार्यवाहक है।  उल्टा यहाँ तो जनता की बात को सुनना तो दूर यह महाशय अपने मन की बातों को सुनाने में लगे रहते है। इनके भक्तगण मानते है की इस अवतारपुरुष से पहले इस भूखंड का अस्तित्व ही नहीं था। यदि कोई देश झूठ की प्रतिष्ठा अपने सर्वोच्च स्थान पर करे तो उस देश की वर्तमान स्थिति और भविष्य की गति का अनुमान करना कठिन नहीं होगा।  

एक खूबसूरत अभिनेता देश के कानून से परे होता है इसका जीताजागता सबूत है हमारे प्यारे सल्लु मिया।  जब भी कोई शो में जाते है, मंदबुध्दि बालक-बालिकाएं इनको आलिंगन में लेना चाहती है। जहा इन्हे हथकड़ी पहनानेकी पुलिस की हिम्मत नहीं तो प्यारे बच्चों का क्या कसूर।  इनके आशक युवक हाथ में एक विचित्र तावीज पहनते है जो इतना बड़ा होता है की आसानी से गले का हार बन सके।  लेकिन जहा यह खड़े होते है वहां दिमाग लगाना वर्जित माना जाता है।  वैसे तो जब युवतियां किसी पर मोहित हो जाती है तो फिर कभी अपने मस्तिष्क का इस्तेमाल नहीं करती, फिर भी कुछ कुमारिकाये इनका “कैरेक्टर ढीला” जान अपना ऐश्वर्य बचाने में सफल हुई है। लेकिन अगर कोई इनके कैफ में घुल गई तो फिर उनके लिए ‘टाइगर’ का ख्वाब हमेशा ज़िंदा रहता है। वैसे तो जिनकी ट्यूबलाइट जली नहीं होती वही इनके चरणस्पर्श करने को उन्मादित होते है पर मेरे कुछ मित्रो से मुझे डांट न खानी पड़े इसलिए इस विषय पर में कुछ अपवाद की गुंजाईश रखता हूँ। 

इन दोनों महाशयों का इस देश की जनता की बेवकूफि और मंदबुध्दि पर अटूट विश्वास है। मालिक कुछ भी फेंके, कुत्ता उसे पकड़ ही लेता है, ऐसे ही आप भी ‘अच्छे दिन’की हड्डी को चबाते जाएं और कमज़ोर फिल्मों पर सैंकड़ों करोड़ लुटाएं जाए।  पहले चेतावनी दे चूका हूँ की दिमाग चलाना सबके बस की बात नहीं है और इसी बजह से यह आप पे लदा हुआ क़र्ज़ है, कृपया इसे ईमानदारी से भरे। 😉



Category : Gujarati Poem

Dogged Nation (ShwanSabha)



શ્વાનસભા
—————————————————————-

આ  રોજ  રાત્રે  શેરીના  શ્વાન  બધા  ભેગા   મળીને કૈંક ગાય છે,
ભસવાની તીવ્રતા પરથી લાગેછે, કે કોઈ મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચાય છે!

પણ  જયારે  આવી  શ્વાન  સભાઓ રોજ ભરાય છે,  તો  શંકા  જાય છે,
શું આમાંથી કોઈ પ્રશ્ન ઉકેલાય છે? કે નેતાની જેમ બસ ભસે જ જાય છે?

લોકોએ  અમને  અહીં  ફક્ત  ભસવાની  જ  છૂટ  કરી  આપી  છે,
જુઓ એમને પણ ગમે છે, ખાવા પીવાની કેવી મોજ કરી આપી છે,

જયારે પણ અમારામાંથી કોઈ જ્ઞાની બની, મોક્ષ માર્ગે ઉપર ચડે છે,
હડકવાના  પંથે  એ  હઠ  યોગી,  મુક્તિ  માટે,  મનુષ્યને કરડે છે,

મનુષ્યની  સ્થિતપ્રજ્ઞતા  પર  અમને  તો  ખરેખર  પ્રશ્ન  થાય  છે,
ભસતા જે સામો થતો,  એ ચાટવાથી કોવો લાગણીમાં તણાય છે?!

લાગે   છે   ‘હૃષી’   કે શ્વાન  સભામાં  આજે ફરી એ જ મુદ્દો  ચર્ચાય  છે,
કે જેના ખુદના ઠેકાણા નથી, એ જાતિમાં કુતરા એ કેમ ગાળ  કહેવાય છે?



This country* is the ultimate holy place of all short of ‘Shwan-Sabha’, where all types of dogs keep on barking all the time. The saying goes that barking dogs seldom bite but actually that applies to the dogs who have the capacity to bite. But here, these dogs are totally sterile, unfertile, unproductive, feckless, impotent and ineffectual breed. They can’t do anything else but just bark and annoy.

Most visible display of such behavior is on news channels. 24×7 they bring on such barking dogs and other sedated innocuous dogs at home watch these dogs. And interestingly enough, they talk about other obnoxious breed of barking dogs, called politicians.

Then there is another vicious type belongs to the religious realm. These are  even one step higher than politicians. Besides being obnoxious, this is very vicious breed of dogs. While politicians are only interested in enchanting the masses only for money and power, these religious type not only eyes your pocket  but ruins the minds ( if there is anything left !! ) of common, sedated and superstitious dogs and their beloved baby-doll like bitches.

Now last but not least are all those wretched WhatsApp groups. The less said is better for WhatsApp, twitter and other such social media where discussions are allowed between dumb psychos. I think twitter symbol should be replaced with barking dog because a bird chirping is so misplaced 😉

Gold help Dog(ged) Nation(s)! 😉

————————————–
*Country – This is one of the country in far far galaxy, and of course not referring to the country you are living in! But why do you think that I’m referring to…. LOL 😉    

Category : Gujarati Poem

Dream (or Drama) Of A Dry State



ડ્રીમ ઓફ અ ડ્રાય સ્ટેટ

(હાસ્ય કવિતા)

ડ્રાય સ્ટેટમાં  પણ  પીવાવાળાનો  ક્યાં  તોટો  છે,
કોઈની   પાસે  કૂવો  તો  કોઈક  પાસે  લોટો    છે,

બિયર,  વ્હિસ્કી,  રમ  વગર  કોણ  અહીં  રોતો છે,
જ્યાં  ના મળે અંગ્રેજી,  ત્યાં પોટલીવાળો મોટો છે,

હે ઈશ્વર,  સુર  અસુર  જો  સુરાને  ના  પામી શકે,
એવો  આ  કાયદાનો  જુલમ  સરાસર  ખોટો   છે,

પ્રતિબંધ   હશે   એટલે,  કે  તમે  કદર  કરી   શકો,
પીધા  પછી  કોણ  જાણે,  ગુલાબ છે કે ગલગોટો છે,

સૌને સમાન અધિકાર આપો, મનફાવે તે વ્યસન ચાખો,
આજ  કોઈ ના કહે,  ખાલી જામ કરતા માવો શું ખોટો છે,

આલકોહોલથી જ આચમન કરે, આખો દી નિર્જળા ફરે,
એવા મદિરા-આસક્તનો આજ મળવો મુશ્કેલ જોટો છે,

કોણ  શું  ખાયપીવે  એનો  ન્યાય  હવે  આપ  ના  કરો,
આ  કળિયુગમાં  પણ  કાજી  બની,  ઉપરવાળો બેઠો છે,

આવ  બતાવું  આ  ડ્રાય સ્ટેટનો  ભરમ જેને જેને પેઠો છે,
જોઈ  લે  આ મહેફિલમાં સુરાથી હોંઠ કોનો કોનો એંઠો છે,

‘હૃષી’ તમે કાંઈ અડતા નથી, છાંટોપાણી કદી કરતા નથી,
છતાં  આ  રસિક રચનાઓથી ભરેલો કેમ તમારો કોઠો છે!

………………

**મદિરાપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે


આજના આ પવિત્ર દિવસે રજાનો આનંદ મદિરા સાથે માણતા, એક એક ઘૂંટ સાથે રંક પ્રજા હોવા છતાં રાજા હોવાના આભાસમાં રાચતા, દ્રાક્ષારસના સેવનાર્થીઓને  , કોઈ પણ જાતના માદક દ્રવ્યની અસર હેઠળ આવ્યા વગર,  સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં મારા તરફ થી અર્પણ… 😉 🙂



Category : Gujarati Poem

ટીપી – (ટાઈમ પાસ)



ટીપી
(ટાઈમ પાસ)
( એક હાસ્ય કવિતા )

ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી,
  ગપ્પા  મારવામાં  સમાય આખી શ્રુષ્ટિ ।।

TP  means  meaningless talks with mature or mindless friends,
In which universal topics are discussed without any constraints.

જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ…


પ્રસ્તાવના

સુજ્ઞ શ્રોતા/વાચક ગણની જાણ સારું એટલું કહેવાનું કે, ટીપી અર્થાત ટાઈમ પાસ એવા ટીપીના શાબ્દિક અર્થમાં ના પડતા, આ શબ્દની ભાવનાઓને સમજવા પ્રયત્ન કરવો.  દેવ, અસુર તથા મનુષ્ય લોકમાં તથા આકાશ, પાતાળ તથા સ્વર્ગલોકમાં જો અચૂક કરાતી કોઈ પ્રવૃત્તિ હોય તો એ ટીપી છે.  વેદ, પુરાણ તથા અન્ય શાસ્ત્રોમાં દેવલોકની નૃત્ય, સંગીત, સુરા તથા શાસ્ત્રાર્થ  ચર્ચા સાથેની ટીપી ના અસંખ્ય અને અદભુત વર્ણન જોવા મળે છે.  આ વૈદિક પરંપરાને જાળવી રાખવાનો અથાગ પ્રયત્ન કરવામાં અમે ગર્વ અનુભવીએ છીએ.

આ કૃતિ, શ્રી સંતશિરોમણી વેદવિજ્ઞાતા પરમ પૂજ્ય અક્ષરબ્રહ્મ બુદ્ધ મહર્ષિ એવા સત્તચિત્તઆનંદ સ્વરૂપ અવતાર પુરુષ શ્રી  હ્રષી પટેલ દ્વારા સમસ્ત ટીપી પુરાણ તથા જ્ઞાત-અજ્ઞાત સમસ્ત ટીપી શાસ્ત્રોના સારરૂપ સ્વાનુભૂતિથી જનસામાન્યના આનંદ તથા મનોરંજનાર્થે દૈવીકૃપાથી રચવામાં આવી છે.**

શાસ્ત્રોક્ત રીતે ટીપી કેવી રીતે કરવી તથા ટીપી ને લગતી અન્ય બતાતો વિશેની સવિસ્તૃત માહિતી માટે રૂબરૂ, દૂરભાષ્ય દ્વારા અથવા તો WhatsApp / Instagram નામક મંચ પર આચાર્યનો યોગ્ય ચોઘડિયામાં સંપર્ક સાધવો.  અત્રે ટીપી વિષેની ગુરુપ્રસાદ સ્વરૂપ રચનાનો આસ્વાદ માણીએ.

** વિશેષણો ઉપર વિસ્તૃત ટિપ્પણી કાવ્યના અંતમાં 

દોહા
ટીપીનો મહિમા જે નર અને નારી જાણે છે,
અઠવાડિયામાં થોડા કલાક અવશ્ય કાઢે છે,
    જે જાણ્યા છતાં નથી કરી શકતા,
    એ  ટીપી  વગર જીવ બાળે  છે
             ……………
ઘર, સમાજ અને સગાવ્હાલાના કામ બધા તું જરૂરી કર,
સાંસારિક જવાબદારી તારી બધી પુરી કર,
ભલેને તું દોર્યા કરે વ્યર્થ વર્તુળો,
મિત્રો સાથે મળીને એક સીધી લીટી કર,
દોસ્ત, તું એક વાર અમારી સાથે ટીપી કર…

ચા, કોફી, બીડી, સિગારેટ ને માવો,
વ્યસનની કમી ભલે બધી પુરી કર,
પણ જો ભુલવીજ હોય બધી વ્યથાઓ,
તો મિત્રો સાથે ચર્ચાઓની ચિલમ ભર,
પછી તને પેગ પણ નહિ લાગે એટલો પ્રીતિકર,
આ બધી કુટેવો છોડવા, અમારી સાથે ટીપી કર…

CM કે PM પણ જે ના કરી શકે,
મનની એ અધૂરી વાત બધી પુરી કર,
છોડ તું બધા ડર, બનીને નિડર, ખોજ તારા અંતરનો સ્વર,
ક્યાં સુધી નાચીશ બીજાની સીટી પર,
આવ, બનાવીએ તને બાહુબલી, આજ રાતની ટીપી પર…

કોઈ દેશ, ધર્મ, જાતિ કે વેશ પર,
નાણાં કે એના નિવેશ પર,
પોતાની સમજણ સંવાદથી તું સીધી કર,
આ બેઠક પર એક વાર તું ટીપી કર…

બનીને વિદ્વાન વિવેચક, ગણીને બાકી બધાને બબુચક,
દલીલબાજીમાં આપીશ નહિ તું મચક,
કરપ્શન કે ક્રિકેટ, ટોપિક તું સિલેક્ટ કર,
ગ્લોબલ વોર્મિંગની અસર કે કેટરીનાની કમર,
બધી છુટ તને શનિવારની આ ટીપી ઉપર…

ગમેતેવી ગંભીર વાત પર પણ,
બિન્દાસ બની ખીખી કર,
નીતિ-નિયમોને નેવે મૂકી,
આખી રાત હાહા-હીહી કર,
હોય ભલે એ કાફે કે પછી ચા ની કિટલી પર,
પણ યથાશક્તિ તું ટીપી કર…

એડમીન, લે તું આ સંગત ની સેલ્ફી,
અને તેને જ  ગ્રૂપનું ડીપી કર,
હસતા ચહેરા જોઈને બેફિકર,
દુઆ કરો આ ટીપી રહે અમર…
આ ટીપી રહે અમર…

ૐ લોકવિનોદાર્થે જનસામાન્યરંજનાર્થે ટીપીરહસ્ય પ્રાગટયાર્થે 
શ્રી આચાર્ય  હ્રષી  પટેલ  નિર્મિત  ટીપી  માહાત્મ્ય સમાપ્તમ||

                        ******


**સુજ્ઞ વાચકો સમજી જ ગયા હશે કે આ બધા વિશેષણો ફક્ત ને ફક્ત વ્યંગ અને કાવ્યની રસક્ષતિ ના થાય એ હેતુથી જ પ્રયોજવામાં આવ્યા છે.  તેના દ્વારા મૂર્ખ અને કથિત સાધુ સંતો તથા પોથીપંડિતો પર કટાક્ષનુ જ પ્રયોજન છે. મહદ અંશે ભાવભક્તિમાં (વાંચો અંધભક્તિમાં) ઘેલા/ચેલા ભક્તો જ આવા વિશેષણો તેમની મૂર્ખતાના પ્રદર્શાનાથે પ્રયોજતા હોય છે.  અથવા તો નરસિંહ કહેતા એમ “એ સઘળા પ્રપંચ પેટ ભરવા તણા” વાળા ઠગો જ આવી નિમ્નસ્તરીય આત્મશ્લાઘામાં રાચતા હોય છે. મારુ એવું દૃઢ પણે માનવું છે કે આમાંના કોઈ પણ વિશેષણો વાપરવાની કોઈ પણ મનુષ્ય દેહધારીની ક્ષમતા કે પાત્રતા નથી.  સુન્દરમ ના શબ્દોમાં કહીએ તો ‘હું માનવી માનવ થાઉં તોયે ઘણું’.

કોઈ પણ કૃતિ પ્રત્યે મારો કોઈ કર્તાભાવ કે અહમ નથી.  જે કાંઈ કલા સર્જન છે એ ફક્ત ને ફક્ત માં સરસ્વતીની કૃપાથી જ શક્ય બને છે અને તેના માધ્યમ તરીકે કોઈ પણ હોઈ શકે.  બધુજ સારું સર્જન ઈશ્વરકૃપા તથા અયોગ્ય, અરુચિકર તથા ભૂલ ભરેલી બધીજ ક્ષતિઓ મારી પોતાની ગણી વિરમું છું.

**************