Category : Gujarati Poem , Thoughts in Gujarati

સરકારી ડિસિઝન – (આયુર્વેદિક સર્જન)



સુનો  ભાઈ  સાધો,  સરકાર  કે  ડિસીઝનમાં કભી કછુ  લોજીક નાહે,
અગર  મંત્રીમાં  મગજ  હોત,  તો વો  ખુદહી  દાકતર ના બન જાહે?

મંતરીવા  તો  મૂરખ  જાત,  આપન  ઇતને  કછુ  નાહી  ગભરાવે,
સબહું  રામ  શરણ  ભજી  જાવે, ઇહાં તો રઘુવીર  હી  દેશ  ચલાવે,

કોન  મારત  હૈ  કોન  તારત હૈ,  કૈસે  કૈસે  માયા કે ખેલ દિખાવે,
આપનહી  જબ  હૈ  મૂરખ  જાત,  સરકારન  કો  કાહે  દોષ  લાવે?

આજ  આયુર્વેદિક   કરહે,  કલ  કો  હમ  ઈન્જીનીયરવા  ભી  કરહે,
જબ  સરકાર  હમરી  ઇતના  સોચત, કોઈ  કાહે  ઇહાં  બેકાર રહહૈ!

કૌન  કભી  ઐસા  સોચત,  બંદરવા  ભી  કભી  ઇતના  વિકાસ કરહૈ,
રામ  કિરપા પાવત, ઈ  અનપઢ મૂરખ જાત કલિયુગમાંહી રાજ કરહૈ!

ઇહાં  પઢાઈ  કી કછુ નાહીં જરૂરત, સબ  કામ જબ અનપઢ ખુબ કરહૈ,
ઈ રામરાજમાં રામકી જરૂરત નાહીં હૃષી, બંદરવા હી સબ ડિસાઈડ કરહૈ!



મિત્રો, જો તમે આયુર્વેદિક સર્જનોના પ્રહારથી જીવતા રહી શકશો તો એ દિવસ પણ દૂર નથી જયારે તમે અમારા જેવા ઇજનેરી શાખાના હોનહાર સ્નાતકો પાસે સર્જરી કરાવતા હશો. 😉

સમાચાર પ્રમાણે સરકારશ્રીએ આયુર્વેદિક સર્જનોને આંખ, કાન, નાક અને ગાળાની 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપી છે. પણ અમે ઇજનેરો તો ફક્ત બેની જ માંગીએ છીએ. મગજ અને મૂત્રપિંડને લગતી !! અર્થાત, ન્યુરોલોજી અને યુરોલોજી.

કારણ કે બંનેમાં જો કોઈ ભૂલચૂક થાય તો કોઈ વાંધો નથી. કારણકે મગજ કોઈને છે નઈ અને હોય તો પણ ક્યાં વાપરે છે! વળી, બધાજ જાણે છે કે વૃષણ અને વિચારક્ષમતાને કોઈ લેવાદેવા નથી. એટલે કોઈનું કથિત પૌરુષત્વ જો અમારી સર્જરીથી જતું રહે તો પણ એ વિચારશીલ રહી આત્મનિર્ભર તો બની જ શકે છે! અને એટલી વસ્તી છે કે કોઈની વંશવૃદ્ધિ જો અટકી જાય તો પણ એ દેશ માટે ફાયદાકારક જ છે.

મેં તો આજથી જ ડૉક્ટર મિત્રો પાસેથી ટ્યૂશનની શરૂઆત કરી દીધી છે. તો મારા બીજા ઇજનેરી શાખાના મિત્રોને પણ સલાહ છે કે પકોડા તળવાનું મૂકીને આવનારા પેશન્ટોને કેવીરીતે તોડવા એનો બંદોબસ્ત કરવામાં લાગી જાઓ.

ધન્ય છે આ સરકાર, ધન્ય છે એનું મંત્રીમંડળ અને સલાહકારો.

એક સાથે બોલો મિત્રો,

હમ સબને આજ નિશ્ચય કિયા, હર એક દેશવાસી કરેગા શલ્યક્રિયા  

રામ લલ્લા ચાહે હમ મર ભી જાયેંગે, સર્જરી હમ એન્જીનીઅર સે હી કરવાએગે

ઘર ઘર યહી નારા હૈ, યે સ્કાલપેલ હમારા હૈ

ઈશ્વર આ ડફોળોને સદબુદ્ધિ આપે હા હા હા :))

Category : Gujarati Poem

Diwali



દિવાળી


મેં પૂછ્યું કે આ દેશમાં  આજ રાત કેમ આટલી કાળી છે,
લોકો કહે,  શું વાત કરો છો,  આજ તો અહીં દિવાળી છે!
એ ચમનનું ભવિષ્ય તો ક્યાંથી ઉજ્જવળ હોઈ શકે ‘હૃષી’,
દંભી, બેશરમ, ભ્રષ્ટાચારી ને ચોરલૂંટારા જ જેના માળી છે.



આમતો કળિયુગમાં જુઠ્ઠું જ બોલવાનો રિવાજ છે. તહેવારના દિવસોમાંતો ખાસ. ખોટા અભિનંદન ને ખોટી પૂજાઓ. નવા વરસના પ્રથમ દિવસે ઈશ્વર દર્શન અને પછી આખું વરસ પોતાની પિશાચી વૃત્તિઓનું પ્રદર્શન. એટલે ખોટું ખોટું અને ગળ્યું ગળ્યું બોલવામાં કોઈ વાંધો તો નહોતો પણ એક વડીલ તરીકે એવું લાગે કે બાળકોને સાચી વાત તો કહેવી જ જોઈએ. 😉

દિવાળી ભગવાન શ્રીરામના અયોધ્યા પુનરાગમનનો જ તહેવાર હોવાથી રામાયણની જ વાત કરીએ.

રાવણને આવનારા વિનાશ અને સંકટ માટે એક વિભીષણ સિવાય કોઈ પણ સભાસદે સાચી વાત કહેવાની હિંમત કરી નહોતી. જયારે શ્રીરામની સેનાએ સમુદ્ર ઓળંગી લીધો ત્યારે રાવણે સભા બોલાવીને પૂછ્યું કે બધા સચિવો પોતાનો ઉચિત મત આપો. આ સાંભળીને બધા સચિવો હસવા લાગ્યા અને શ્રીરામની મજાક કરવા લાગ્યા. બધાએ કહ્યું કે જયારે આપણે બધા દેવો અને દાનવોને હરાવ્યા ત્યારે પણ કોઈ તકલીફ નહોતી પડી તો પછી એક મનુષ્ય સાથે યુદ્ધ કરવું એ ક્યાં મોટી વાત છે.

એ સભાના વર્ણન પછી રામચરિતમાનસમાં તુલસીદાસ કહે છે કે,

સચિવ બૈદ ગુરુ તીનિ જોં પ્રિય બોલહિં ભય આસ |
રાજ ધર્મ તન તીનિ કર હોઈ બગીહી નાસ ||

( સુંદરકાંડ, દોહા – 37 )

અર્થાત, સચિવ, વૈદ્ય અને ગુરુ, એ ત્રણ જો તમારા ભયથી સાચું નહિ કહે તો સમજીલો કે રાજ્ય, શરીર અને ધર્મ એ ત્રણેનો વિનાશ નક્કી છે.

પણ એટલું યાદ રાખજો કે સાચું કહેવામાં મારું કર્તવ્ય પૂર્ણ થયું છે, તમારું એ સત્યને જાણેને એનું અનુસરણ કર્યા પછી થશે. ચોલો જોઈએ કે આ વર્ષે કોણ દિવાની જેમ ઝળહળે છે, કોણ બૉમ્બ બની ફૂટે છે અને કોનું સુરસુરીયુ થાય છે. 😉

Category : Gujarati Poem

Dashera



દશેરા


રામ નામે પથ્થર તરે પણ ના સુધરે અહીં મનુષ,
મૂર્ખ મનુજ માટે જ ધારણ કરે શ્રીરામ પણ ધનુષ


રામરાજ્ય એટલે એવું રાજ્ય કે જ્યાં ફક્ત બે જ વિકલ્પ હોય – ( જાત ) સુધારો અથવા શિરચ્છેદ. વચ્ચેના કોઈ સેટિંગને રામરાજ્યમાં અવકાશ નથી.

પ્રભુ શ્રીરામને જયારે લાગ્યું કે દસ માંથા હોવા છતાં જો લંકાપતિ રાવણ એક મગજ ના વાપરી શકતો હોય તો પછી એ બધા માંથાઓને ધડ પર રહેવાનો કોઈ અધિકાર નથી. પછી ભલે એ ભગવાન શિવે જ કેમ ના આપ્યા હોય.

હનુમાન લંકા દહન કરી પાછા ફરતા પહેલા જયારે માતા સીતાની અનુમતિ અને સંદેશ લેવા જાય છે ત્યારે સીતાનો સંદેશ જાણવા જેવો છે. સીતાએ રામને કોઈ સમાજ સુધારા માટે પ્રોત્સાહિત કરવાની વાત નથી કરી. સીતા હનુમાનને કહે છે કે,

તાત સક્રસુત કથા સુનાએહુ |
બાન પ્રતાપ પ્રભુહિ સમુઝાએહુ
||

(રામચરિતમાનસ – સુંદરકાંડ – 26 )

અર્થાત, હે હનુમાન પ્રભુ રામને ઇંદ્રાપુત્રની વાત યાદ અપાવજો અને પોતાના ધનુષનો પ્રતાપ સમજાવજો. પબજી વાળી પબ્લિકને રામાયણ યાદ નહીં જ હોય એટલે ટૂંકમાં કહેવાનું કે, એક વખત ઇંદ્રાપુત્ર જયંતે સીતાનો સ્પર્શ કરવાની કોશિશ કરી હતી અને રામે એ ‘અડપલાબાજ’ ઇંદ્રાપુત્રના પ્રાણ હરિ લીધા હતા. રામના બાણ પ્રહાર પછી એ ભાઈ દોડતા દોડતા ઇન્દ્ર, બ્રહ્મા અને સ્વયં ભગવાન શંકરના શરણે જાય છે પરંતુ બધા એક જ ઉત્તર આપે છે – રામ બાણ અમોઘ છે બાળક, બ્રહ્માંડની કોઈ શક્તિ હવે ના બચાવી શકે ! જયારે રાવણેતો સીતાનું હરણ કર્યું હતું એટલે આ પાર્ટીની તો ગેમ ઓવેર જ હતી.

આમાં સીતા અને હનુમાન બંને જાણે છે કે રામને કાંઈ યાદ કરાવવાની જરૂર નથી છતાં, જડ જનસામાન્ય માટે આ સંવાદ છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે, સમજાવીને લાડપ્રેમથી સમાજ સુધારણા એક હદ સુધી જ શક્ય છે, પછી મગજ વગરના મનુષ્યોના સમાજે પોતાના લાડકવાયા લલ્લુઓ માટે સામુહિક બેસણાની તૈયારી કરવી જોઈએ. 😉

જાય શ્રીરામ 🙂


Category : Gujarati Poem

બળાત્કારી દેશ



જો આજ આ દેશમાં ફરી એક નારી નિર્વસ્ત્ર છે,
કોઈ છે કે જે બેફામ બળાત્કારીઓથી ત્રસ્ત છે?
હૃષી, આ નેતાગીરી કેવી નીચ અને બીભત્સ છે,
પ્રજા તો બસ નસકોરાં બોલાવવામાં જ મસ્ત છે



આ લલ્લુઓના દેશમાં દિવસ રાત બસ બળજબરી જ ચાલે છે. પુરુષો સ્ત્રીઓ પર, નેતાઓ પ્રજા પર, સંપ્રદાયો સંસ્કૃતિ પર, માલિકો મજૂરો પર સતત બળાત્કાર જ કર્યા કરે છે. કોઈને અહીં કોઈ પણ જાતના સુધારાની પડી નથી. મોટાભાગની પ્રજાની માનસિકતા જ સડેલી છે.  આ નિર્માલ્ય પ્રજા વર્ષોથી નથી કોઈ સબક શીખતી કે નથી કોઈને સબક શીખવાડી સકતી.

વિવિધ પક્ષોના રાજનેતાનો માટે તો આવી દુઃખદ ઘટનાઓ એક અવસર કહેવાય છે. એમને તો આમાં એક રંગમંચ મળી ગયો નવા નવા ખેલ કરવા અને મૂર્ખ પ્રજા એ જોયા કરશે.

માનવતાવાદની પીપુડી વગાડતી સંસ્થાઓ પણ સમજી લે કે આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારાઓ મનુષ્યમાં વર્ગીકૃત થતા નથી પણ એ બેકાબુ બનેલા હિંસક પશુઓ છે અને એમને એ જ રીતે ત્વરિત મોક્ષ આપી દેવો જોઈએ.

મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.

મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.

જે મૂર્ખ પ્રજાને બસ રાત દિવસ કોઈ ડ્રગીસ્ટ કે ક્રિમીનલ સેલિબ્રિટી શું કરે છે, શું પહેરે છે, ક્યાં જાય છે એ જોવામાંથી કે પછી ટિક્ટોક પર બબૂચકની જેમ નાચવા કુદવામાંથી કે એવા બીજા બબૂચકોને જોવામાંથી જ નવરાશ ના મળતી હોય એની પાસેથી કોઈ બૌદ્ધિક પરિપક્વતાની શું અપેક્ષા રાખવી?

તમારા માથાપર જ લખ્યું છે કે, ‘તમે એક નિર્માલ્ય વ્યક્તિ છો, માટે બસ આવા બળાત્કારો સહન કરો’. રોજ બનતી આવી ઘૃણાસ્પદ ઘટનાઓથી જે સમાજ લજ્જિત નથી એ સમાજ લલ્લુઓનો સમાજ છે. કોઈ પણ સમાજ કે જેનું  આવી ઘટનાઓથી લોહી ઉકળતું નથી એ એક નપુંસક સમાજ છે.

આ રોજ થતા બળાત્કારો કોઈ પરગ્રહવાસીઓ નથી કરતા, આ તમારા સમાજની જ સડેલી માનસિકતાનું પ્રતિબિંબ છે. હજી પણ ગુંડા, મવાલી, ભ્રષ્ટ, અનૈતિક, જુઠ્ઠા, વિકારીઓને ધર્મ/સંપ્રદાય/વંશ/નાત/જાતના વાડાઓને વળગી રહી તમારા નેતા બનાવો અને સુશિક્ષિત અને સંસ્કારી લોકોને હડધૂત કરો અને આવા જ પરિણામો ભોગવતા રહો.

Category : Gujarati Poem

સત્ય



જો  તમારી  વાતમાં  હંમેશા  એજ સત્યનો રણકાર હશે,
તીરની  જરૂર  નથી,  પર્યાપ્ત ફક્ત ધનુષનો ટંકાર હશે,
બહારના શત્રુઓથી લડવાની એને કોઈ જરૂર નથી ‘હૃષી’,
પરાસ્ત એ પોતાનાથી જ થશે, જેનું અસ્તિત્વ અહંકાર હશે



આજે  આ રાષ્ટ્રભૂમિના એક વીર, નિર્ભય અને સત્યના પ્રયોગોમાં તથા પરમાર્થમાં સમગ્ર જીવન સમર્પિત કરનાર એક વિભૂતિનો જન્મદિવસ છે. પૂજ્ય બાપુ, મોહનદાસ કરમચંદ ગાંધી, નો  ફક્ત આ દેશે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વએ એક મહાત્મા તરીકે સ્વીકાર્યો છે જેમાં કોઈજ અતિશયોક્તિ નથી. આવા વિરલ વ્યક્તિત્વને કોટી કોટી નમન.

પૂજ્ય બાપુનું જીવન જ એ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે જે વ્યક્તિ સત્યને વળગી રહે છે એને પછી કોઈ ફક્ત ફોટા પડાવવાવાળા કામો કરી લોકચાહના મેળવવાના નાટકો કરવાના દંભની જરૂર નથી.

ઘણા મૂર્ખ લલ્લુઓ ગાંધીજી વિષે ગમેતેમ ટિપ્પણીઓ કરતા હોય છે. આવા લબાડ લોકોને પ્રેમપૂર્વક ( આમ તો વ્યક્તિગત રીતે હું આવા જાનવરોને ઊંધા હાથની બે આપી ને બેસાડી દેવાના મતનો છું પણ આજે બાપુની બર્થડે નિમિત્તે આમન્યા જાળવવાની ) એટલું કહેવાનું કે, હે મૂરખના સરદારો, મહેરબાની કરીને નીચેના મુદ્દાઓ વાંચો અને પછી જો લાયકાત હોય તો બોલજો.

  1. તમારી સાત પેઢીમાંથી કોઈએ દેશ માટે છાતીમાં ગોળી ખાધી હોય તો બોલો
  2. જનસેવામાટે જાત ઘસીનાંખી હોય તો બોલો
  3. અરે ડોબાઓ તમારા કહેવાતા રાજકીય નેતાઓ અને સાંપ્રદયિક ધર્મગુરુઓએ  ( આમાં બધા બાબાઓ, ગુરુઓ અને બબૂચકોનો સમાવેશ થઇ ગયો ) જો લોક ઉત્થાન માટે ગાંધીજી કરતા વિશેષ  પ્રયત્નો કર્યા હોય તો કહો. એ બધા ધુતારાઓ તો તમને નાત-જાત ને સંપ્રદાયોમાં વિભાજીત કરી દેશને પાંગળો બનાવવાની વાત કરે છે. ગાંધીજીએ વિભાજનવાદી એક પણ શબ્દ ઉચ્ચાર્યો હોય તો કહો.
  4. પિચકારીઓ મારી ગંદકી ફેલાવતા પિશાચો તો કઈ બોલી જ ના શકે કારણકે તમારા જેવાની ગંદકી બાપુ રોજ સાફ કરતા
  5. જણે અનીતિનો એક પણ પૈસો ઘરમાં ના મુક્યો હોય એ બોલે
  6. ગાંધીજી આજીવન નિરક્ષરતા, અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા જેવા દુષણો સામે લડ્યા છે અને તેમના અગણિત અનુયાયીઓનું જીવન પણ તેની સાક્ષી પુરે છે. તમારો કયો ગુરુ આ દુષણો સામે સ્પષ્ટ બોલે છે? એ તો તમેને ગુરુપૂર્ણિમાના ગરબા ગાતા રાખે છે ને ચરણામૃત પાય છે.
  7. તમારા ઘરવાળા જ તમારું માનતા નથી જયારે ગાંધીના એક એક શબ્દ પર તમારા જેવા ડફોળશંકરો નહિ પણ એ સમયની વિદ્વાન વિભૂતિઓ પણ આચરણ કરવા તૈયાર રહેતી.

આનો તો કોઈ અંત નથી પણ તમને તમારી લાયકાતનું ભાન કરાવવા તો પૂરતું જ છે. તમારી પૂજ્ય ગાંધીજી જેવી વિભૂતિઓના અંશ માત્રને પણ સમજવાની કોઈ હેસિયત નથી. જો બુદ્ધિનો થોડોક પણ છાંટો હોય તો ‘મારા સ્વપ્નનું ભારત’ પુસ્તકમાં ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’ અને ‘હરિજન’ માંથી ચૂંટેલા લખાણોના અંશ વાંચજો તો તમને ગાંધીજીના ઉદ્દાત વિચારો અને વિશાળ વ્યક્તિત્વની ઝાંખી મળશે, સાથે સાથે એક લીટી પણ સરખી લખી નથી શકતા એવા ડિગ્રીધારી ડફોળોને ગાંધીજીની વિદ્વાત્તાનો પણ પરિચય મળશે.

હે રામ, કૃપા કરી આ મૂર્ખ પ્રજાને થોડી બુદ્ધિ આપો.