Category : Thoughts in Gujarati

ગુજરાતી બાળકનો પત્ર



વિદ્વાન મિત્રો ગંભીર ના બની જાય એના માટે થોડું હાસ્ય

ડોક્ટરો વૈદકીય ઈલાજો સુચવીને ગ્રુપને સ્વસ્થ રાખે છે તો હું થોડા વિનોદ દ્વારા સત્યને ઉજાગર કરતી થોડી ગમ્મ્ત કરીશ.

એક ચેતવણી : સ્ટ્રોંગ રાજકીય મત ધરાવતા મિત્રોએ આગળ વાંચીને મગજની નસો ખેંચવી નહિ. કારણકે લલ્લુ પ્રજા માટે કોઈ પણ સરકાર હોય કાંઈ ફરક પડતો નથી. સો જસ્ટ ચીલ


ગુજરાતના એક નાના બાળકનો દિલ્લીમાં રહેતા એના મમ્મી પપ્પાને પત્ર

( આમાં કયું પાત્ર કોણ છે એ તો આપ સુશિક્ષિત મિત્રો જાણી જ ગયા હશો )

મારા વહાલા મમ્મી પપ્પા,

જય શ્રીરામ સાથે જણાવવાનું કે આપ મારા જેવા ધાવતા બાળકને આમ મૂકીને જતા રહ્યા છો તો મને બહુ એકલું એકલું લાગે છે. જતા પહેલા તમે તો કહેતા હતા કે મારે તો અહીંયા કશુંજ કરવાનું નથી. ફક્ત ઘોડિયામાં ઝૂલવાનું છે અને મમ્મી પપ્પાની આજ્ઞા ઝીલવાની છે. પણ આ કોરોનાના સંકટે  તો બધી બાજી જ બગાડી દીધી છે. મામા ને કાકાઓ કહેતા હતા કે તમે તો કોઈ દીદી જોડે બીઝી છો એટલે આવતા વાર લાગશે. પણ તમે તો ક્યારેય કહ્યું નથી કે મારે એક દીદી પણ છે!

એ જે હોય તે, પણ તમે વહેલા ઘરે આવો. લોકો પણ કહે છે કે કાળીનાગ અને કંસ ગોકુલ છોડ્યા પછી મથુરામાં પાછા દેખાતા નથી. એ કૃષ્ણ અને બલરામની વાર્તા હતી કે કાળીનાગ અને કંસની એ હું ભૂલી ગયો છું પણ એવુજ કંઈક હતું. અત્યારે રામની વાર્તાઓ યાદ રાખવામાં હું એ બધું ભૂલી જાઉં છું, પણ તમે જલ્દી આવો અને મને લોકોના મહેણાંટોણા અને રોષથી બચાવો. જુઠ્ઠું બોલવાના અને ગપ્પા મારવાના સંસ્કારતો આપણા કુળમાં ગળગૂંથીથી જ અપાય છે પણ મને હજુ એટલું બોલતા આવડતું નથી અને મારી કાલીઘેલી વાતોની મીડિયા મજાક ઉડાડે છે. ( જોકે આમ તો  મીડિયા આપનાથી ડરે છે એટલે બહુ કાંઈ વાયરલ થતું નથી એટલી હાશ છે ) 

ચિંતા ના કરતા, મેં ( અને તમે પણ ) આટલું બધું બાફ્યું છે છતાં અહીં તમારો કોઈ ઉધડો નહિ લે. ઉપરથી આ નમાલી પ્રજા તો આપને ફૂલડે વધાવશે.

એક નવું નક્કોર સ્મશાન બનાવીને રાખ્યું છે. આપ આવો પછી જ રીબીન કાપીએ. આશા છે કે ત્યારે પણ સ્મશાનમાં આટલી જ લાઈનો હશે.   (મેડ ઈન ચાઈના છે પણ એ જ લોકો સૌથી વધુ કમિશન આપવા તૈયાર હતા. ખરેખર પપ્પા મેક ઈન ઇન્ડિયા કરે છે પણ આપણા વાળાઓને જયારે પૂછીએ ત્યારે એક જ જવાબ આપે છે કે પોસાતું નથી. કોઈને ધંધો કરતાં જ નથી આવડતું બોલો.)

મમ્મી પપ્પાને કહેજે કે પૈસાની ચિંતા નથી. નોટબંધી વખતના હજુ ચાલે છે. વેન્ટિલેટર બેન્ટીલેટર પાછળ ખોટા ખરચા કર્યા નથી. આમેય 5/10 દિવસે મરવાના જ હોય એમને ક્યાં ટોટીઓ નાખીને હેરાન કરવા. હા એક નવું એરોપ્લેન લીધું છે કારણકે બધા સગાસંબંધીઓ ઘરે રહીને અકળાઈ ગયા છે તો ખાલી ખાલી અમદાવાદ મહેસાણા વચ્ચે આંટા ફેરા મારીને મન હળવું કરીએ છીએ. અને ઉપર રહીને પ્રજાથી સેફ ફિઝિકલ ડિસ્ટન્સ જાળવી રાખીએ છીએ.

લિ.

આપનો ઘોડિયામાં રમતો.. બકુડો ચકુડો…

તા.ક. : આવો ત્યારે કેટલાના ટોળા ભેગા કરવાના છે એ થોડું અગાઉથી જણાવજો કારણકે અત્યારે ઘણા તલાટી અને શિક્ષકો કોરોનાગ્રસ્ત હોવાથી એટલું જલ્દી લોકોને પૈસા ( અને સુરા )ની લાલચે બોલાવી નહિ શકે.


Category : Gujarati Poem , Thoughts in Gujarati

સરકારી ડિસિઝન – (આયુર્વેદિક સર્જન)



સુનો  ભાઈ  સાધો,  સરકાર  કે  ડિસીઝનમાં કભી કછુ  લોજીક નાહે,
અગર  મંત્રીમાં  મગજ  હોત,  તો વો  ખુદહી  દાકતર ના બન જાહે?

મંતરીવા  તો  મૂરખ  જાત,  આપન  ઇતને  કછુ  નાહી  ગભરાવે,
સબહું  રામ  શરણ  ભજી  જાવે, ઇહાં તો રઘુવીર  હી  દેશ  ચલાવે,

કોન  મારત  હૈ  કોન  તારત હૈ,  કૈસે  કૈસે  માયા કે ખેલ દિખાવે,
આપનહી  જબ  હૈ  મૂરખ  જાત,  સરકારન  કો  કાહે  દોષ  લાવે?

આજ  આયુર્વેદિક   કરહે,  કલ  કો  હમ  ઈન્જીનીયરવા  ભી  કરહે,
જબ  સરકાર  હમરી  ઇતના  સોચત, કોઈ  કાહે  ઇહાં  બેકાર રહહૈ!

કૌન  કભી  ઐસા  સોચત,  બંદરવા  ભી  કભી  ઇતના  વિકાસ કરહૈ,
રામ  કિરપા પાવત, ઈ  અનપઢ મૂરખ જાત કલિયુગમાંહી રાજ કરહૈ!

ઇહાં  પઢાઈ  કી કછુ નાહીં જરૂરત, સબ  કામ જબ અનપઢ ખુબ કરહૈ,
ઈ રામરાજમાં રામકી જરૂરત નાહીં હૃષી, બંદરવા હી સબ ડિસાઈડ કરહૈ!



મિત્રો, જો તમે આયુર્વેદિક સર્જનોના પ્રહારથી જીવતા રહી શકશો તો એ દિવસ પણ દૂર નથી જયારે તમે અમારા જેવા ઇજનેરી શાખાના હોનહાર સ્નાતકો પાસે સર્જરી કરાવતા હશો. 😉

સમાચાર પ્રમાણે સરકારશ્રીએ આયુર્વેદિક સર્જનોને આંખ, કાન, નાક અને ગાળાની 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપી છે. પણ અમે ઇજનેરો તો ફક્ત બેની જ માંગીએ છીએ. મગજ અને મૂત્રપિંડને લગતી !! અર્થાત, ન્યુરોલોજી અને યુરોલોજી.

કારણ કે બંનેમાં જો કોઈ ભૂલચૂક થાય તો કોઈ વાંધો નથી. કારણકે મગજ કોઈને છે નઈ અને હોય તો પણ ક્યાં વાપરે છે! વળી, બધાજ જાણે છે કે વૃષણ અને વિચારક્ષમતાને કોઈ લેવાદેવા નથી. એટલે કોઈનું કથિત પૌરુષત્વ જો અમારી સર્જરીથી જતું રહે તો પણ એ વિચારશીલ રહી આત્મનિર્ભર તો બની જ શકે છે! અને એટલી વસ્તી છે કે કોઈની વંશવૃદ્ધિ જો અટકી જાય તો પણ એ દેશ માટે ફાયદાકારક જ છે.

મેં તો આજથી જ ડૉક્ટર મિત્રો પાસેથી ટ્યૂશનની શરૂઆત કરી દીધી છે. તો મારા બીજા ઇજનેરી શાખાના મિત્રોને પણ સલાહ છે કે પકોડા તળવાનું મૂકીને આવનારા પેશન્ટોને કેવીરીતે તોડવા એનો બંદોબસ્ત કરવામાં લાગી જાઓ.

ધન્ય છે આ સરકાર, ધન્ય છે એનું મંત્રીમંડળ અને સલાહકારો.

એક સાથે બોલો મિત્રો,

હમ સબને આજ નિશ્ચય કિયા, હર એક દેશવાસી કરેગા શલ્યક્રિયા  

રામ લલ્લા ચાહે હમ મર ભી જાયેંગે, સર્જરી હમ એન્જીનીઅર સે હી કરવાએગે

ઘર ઘર યહી નારા હૈ, યે સ્કાલપેલ હમારા હૈ

ઈશ્વર આ ડફોળોને સદબુદ્ધિ આપે હા હા હા :))