રામ નામે પથ્થર તરે પણ ના સુધરે અહીં મનુષ, મૂર્ખ મનુજ માટે જ ધારણ કરે શ્રીરામ પણ ધનુષ
રામરાજ્ય એટલે એવું રાજ્ય કે જ્યાં ફક્ત બે જ વિકલ્પ હોય – ( જાત ) સુધારો અથવા શિરચ્છેદ. વચ્ચેના કોઈ સેટિંગને રામરાજ્યમાં અવકાશ નથી.
પ્રભુ શ્રીરામને જયારે લાગ્યું કે દસ માંથા હોવા છતાં જો લંકાપતિ રાવણ એક મગજ ના વાપરી શકતો હોય તો પછી એ બધા માંથાઓને ધડ પર રહેવાનો કોઈ અધિકાર નથી. પછી ભલે એ ભગવાન શિવે જ કેમ ના આપ્યા હોય.
હનુમાન લંકા દહન કરી પાછા ફરતા પહેલા જયારે માતા સીતાની અનુમતિ અને સંદેશ લેવા જાય છે ત્યારે સીતાનો સંદેશ જાણવા જેવો છે. સીતાએ રામને કોઈ સમાજ સુધારા માટે પ્રોત્સાહિત કરવાની વાત નથી કરી. સીતા હનુમાનને કહે છે કે,
અર્થાત, હે હનુમાન પ્રભુ રામને ઇંદ્રાપુત્રની વાત યાદ અપાવજો અને પોતાના ધનુષનો પ્રતાપ સમજાવજો. પબજી વાળી પબ્લિકને રામાયણ યાદ નહીં જ હોય એટલે ટૂંકમાં કહેવાનું કે, એક વખત ઇંદ્રાપુત્ર જયંતે સીતાનો સ્પર્શ કરવાની કોશિશ કરી હતી અને રામે એ ‘અડપલાબાજ’ ઇંદ્રાપુત્રના પ્રાણ હરિ લીધા હતા. રામના બાણ પ્રહાર પછી એ ભાઈ દોડતા દોડતા ઇન્દ્ર, બ્રહ્મા અને સ્વયં ભગવાન શંકરના શરણે જાય છે પરંતુ બધા એક જ ઉત્તર આપે છે – રામ બાણ અમોઘ છે બાળક, બ્રહ્માંડની કોઈ શક્તિ હવે ના બચાવી શકે ! જયારે રાવણેતો સીતાનું હરણ કર્યું હતું એટલે આ પાર્ટીની તો ગેમ ઓવેર જ હતી.
આમાં સીતા અને હનુમાન બંને જાણે છે કે રામને કાંઈ યાદ કરાવવાની જરૂર નથી છતાં, જડ જનસામાન્ય માટે આ સંવાદ છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે, સમજાવીને લાડપ્રેમથી સમાજ સુધારણા એક હદ સુધી જ શક્ય છે, પછી મગજ વગરના મનુષ્યોના સમાજે પોતાના લાડકવાયા લલ્લુઓ માટે સામુહિક બેસણાની તૈયારી કરવી જોઈએ. 😉
જો આજ આ દેશમાં ફરી એક નારી નિર્વસ્ત્ર છે, કોઈ છે કે જે બેફામ બળાત્કારીઓથી ત્રસ્ત છે? હૃષી, આ નેતાગીરી કેવી નીચ અને બીભત્સ છે, પ્રજા તો બસ નસકોરાં બોલાવવામાં જ મસ્ત છે
આ લલ્લુઓના દેશમાં દિવસ રાત બસ બળજબરી જ ચાલે છે. પુરુષો સ્ત્રીઓ પર, નેતાઓ પ્રજા પર, સંપ્રદાયો સંસ્કૃતિ પર, માલિકો મજૂરો પર સતત બળાત્કાર જ કર્યા કરે છે. કોઈને અહીં કોઈ પણ જાતના સુધારાની પડી નથી. મોટાભાગની પ્રજાની માનસિકતા જ સડેલી છે. આ નિર્માલ્ય પ્રજા વર્ષોથી નથી કોઈ સબક શીખતી કે નથી કોઈને સબક શીખવાડી સકતી.
વિવિધ પક્ષોના રાજનેતાનો માટે તો આવી દુઃખદ ઘટનાઓ એક અવસર કહેવાય છે. એમને તો આમાં એક રંગમંચ મળી ગયો નવા નવા ખેલ કરવા અને મૂર્ખ પ્રજા એ જોયા કરશે.
માનવતાવાદની પીપુડી વગાડતી સંસ્થાઓ પણ સમજી લે કે આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારાઓ મનુષ્યમાં વર્ગીકૃત થતા નથી પણ એ બેકાબુ બનેલા હિંસક પશુઓ છે અને એમને એ જ રીતે ત્વરિત મોક્ષ આપી દેવો જોઈએ.
મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.
મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.
જે મૂર્ખ પ્રજાને બસ રાત દિવસ કોઈ ડ્રગીસ્ટ કે ક્રિમીનલ સેલિબ્રિટી શું કરે છે, શું પહેરે છે, ક્યાં જાય છે એ જોવામાંથી કે પછી ટિક્ટોક પર બબૂચકની જેમ નાચવા કુદવામાંથી કે એવા બીજા બબૂચકોને જોવામાંથી જ નવરાશ ના મળતી હોય એની પાસેથી કોઈ બૌદ્ધિક પરિપક્વતાની શું અપેક્ષા રાખવી?
તમારા માથાપર જ લખ્યું છે કે, ‘તમે એક નિર્માલ્ય વ્યક્તિ છો, માટે બસ આવા બળાત્કારો સહન કરો’. રોજ બનતી આવી ઘૃણાસ્પદ ઘટનાઓથી જે સમાજ લજ્જિત નથી એ સમાજ લલ્લુઓનો સમાજ છે. કોઈ પણ સમાજ કે જેનું આવી ઘટનાઓથી લોહી ઉકળતું નથી એ એક નપુંસક સમાજ છે.
આ રોજ થતા બળાત્કારો કોઈ પરગ્રહવાસીઓ નથી કરતા, આ તમારા સમાજની જ સડેલી માનસિકતાનું પ્રતિબિંબ છે. હજી પણ ગુંડા, મવાલી, ભ્રષ્ટ, અનૈતિક, જુઠ્ઠા, વિકારીઓને ધર્મ/સંપ્રદાય/વંશ/નાત/જાતના વાડાઓને વળગી રહી તમારા નેતા બનાવો અને સુશિક્ષિત અને સંસ્કારી લોકોને હડધૂત કરો અને આવા જ પરિણામો ભોગવતા રહો.
માણસને પણ કેવા કેવા ભ્રમ હોય છે, હું છું કૈંક એવો સતત અહમ હોય છે,
જે બણગા ફૂંકતા બહાદુરીના સતત, એમનામાં ક્યાં ખરેખર દમ હોય છે,
બહાર જેઓ લાચારીથી નરમ હોય છે, ઘરમાં કેમ અત્યાચારી ને ગરમ હોય છે?
બુદ્ધિમતા જેની વખણાતી જગતમાં, વ્યાહારિકતા એમાં કેમ કમ હોય છે?
જગ જાણીતા જેના સર્વ કર્મ હોય છે, ખાતા એ પાછા અન્યના સમ હોય છે,
લોકસેવક બનતા જે હરદમ હોય છે, જીવન ટૂંપતા એ જ તો જમ હોય છે,
સામે ના બોલવામાં જ નવ ગુણ છે ‘હૃષી’, બેવકુફોમાં ઊંધો જ ઉત્ક્રાંતિ ક્રમ હોય છે.
One person, multiple lives!
There are always at least three
different kinds of personalities co-exists inside an individual. One, what he
really is ( which he’s hardly able to discover! ), second is what he pretends
to be and third is what he really wants to be.
The second type is the root cause of
fake existence of all individuals. Interesting thing is that if we take away
all pretensions then it is very dangerous for social existence. Imagine what if
everybody is able to read each other’s thoughts. So these social reciprocal
relationships are all flowering on the fakeness and hang on a fragile thread of
phoniness.
The third type, which actually drives
all human beings is inherently related to the undiscovered inner self – the
first type. Because what you want yourself to be in future is subtly driven by
your innate characteristics. The reason why a human being is naturally disposed
to particular things and thoughts is his innate characteristics.
So what are your three different
states of existences? Time to think 😉
આ જગત છે એક વાર્તા એ જાણતા ઘણા વરસ લાગશે, પછી એના બધા પાત્રો અને કથાનકો બહુ સરસ લાગશે,
દુઃખી જ રહેશે એ, જેને બધું ભિન્નતા ભરેલી જણસ લાગશે, મેળવશે એ અહર્નિશ આનંદ, જેને સહુ સર્વથા સમરસ લાગશે,
કુમતિ જે છે એને તો આ કૃષ્ણ પણ હવે કંસ લાગશે, મૂર્ખાઓના મેળાવડા તો એને શુભ્ર જ્ઞાની હંસ લાગશે,
શોધ્યા કરશો જો એને અહીં તહીં, તો પછી વરસો ના વરસ લાગશે, જાણી જશો કે એ તો છે મહીં, તો મિથ્યા બહારની બધી તરસ લાગશે,
પ્રકાશ અને અંધકાર ની જેને છે ખબર, એ જ્ઞાનીને જ ફર્ક લાગશે, નાસમજ ને જો આપો સ્વર્ગ, તો પણ એને તો એ નર્ક લાગશે,
કહેતા પહેલાં જરા વિચાર તો કરો, કે વાત સાંભળીને કયો મૂર્ખ જાગશે, ભલે એ સત્ય હોય ‘હૃષી’, પણ શ્રદ્ધા વિના તો એ ફક્ત તર્ક લાગશે.
Everybody knows, and
still somehow they don’t! Isn’t it funny?! Everybody seems to know some sort of
philosophy which tells them that what you see is not really what you get, but
still they are not able to grasp the reality! Yes, the reality of reflection.
Reflection of your own projections, sometimes you get it back as expected and
most of the time, as some kind of distorted, mingled menagerie.
As Krishna describes
in Geeta that the one who really knows the essence of the things, remains
unperturbed by the circus around. Same as the ‘projection wall’ of the cinema
hall remains as it is, even though all sorts of movies are being projected on
it. Audience experiences the thrill with mixed emotions of sadness and
happiness, but only the ‘projection wall’ seems to know that all this is not
real!
That unperturbed and enlightened soul is call Sthitpragnya by Shree Krishna in Geeta. Until and unless you come to know what this cinema is all about and learn to detach yourself from unnecessary role playing, your existence is mere misery.
પિંડ જેનો પેદા જ થયો પાણીપોચો, કેમ કરી એને લપટે ક્રાંતિ જ્વાળા,
પાપીના તો પ્રજા ગાતી પ્રશસ્તિ ગાણા, શુભ્ર વસ્ત્ર સજ્જ જેના કામ બધા કાળા,
સત્ય ને જ્ઞાનનો સ્પર્શ તો શક્ય નથી, જેના મગજ પર બાજ્યાં કુમતિના જાળા,
નદીના નામે આતો સાવ નિર્જિવ નાળા, બારદાનોની બુદ્ધિ પર લાગ્યા મોટા તાળા,
‘હૃષી’, શબ્દો ભલે આપના અગનગોળા, પણ લોક હજી ઝૂલે છે બાળબુદ્ધિ હિંડોળા.
ચાઈના
બોયકોટની વાત પરથી યાદ
આવ્યું કે જે આપણી
આંતરિક સમસ્યાઓ છે – અશિક્ષણ/નિરક્ષરતા, ગરીબી,
બેરોજગારી, અસ્વચ્છતા, ભૂખમરો, ભ્રસ્ટાચાર, જાતિવાદ, ધર્માંધતા વગેરે વગેરે – એ
આપણે જો ફકત આપણી
મૂર્ખતાને જ પ્રથમ બોયકોટ
( અર્થાત તિલાંજલિ આપીએ ) કરીએ
તો સરળતાથી નાબૂદ કરી શકીએ.
પછી કોઈ બહારની વ્યક્તિ
કે સંસ્થા કે દેશ
તમારું કંઈ બગાડી નહિ
શકે. પણ સાચી વાત
તો એ છે કે
આ દેશના લોકોની ફક્ત
એક જ જાતિ છે
અને તે છે નાન્યતર
જાતિ – અર્થાત નપુંસક જાતિ,શારીરિક
રીતે નહિ પરંતુ વૈચારિક
અને માનસિક રીતે.
બીજી સાચી
વાત એ છે કે
તમે કોઈનું કશું બગાડી
શકવાના નથી. કારણકે તમારા
ચૂંટેલા રાજનેતાઓ ફક્ત જડબું જ
હલાવી જાણે છે, જડબાતોડ
જવાબ આપવાની એમની કોઈ
હેસિયત કે ઈચ્છા પણ
નથી. જવાબ તો તમે
નેપાળ કે બાંગ્લાદેશને પણ
નથી આપી શક્યા તો
ચીનની તો વાત જ
અલગ છે. સૈન્ય શક્તિની
આમાં વાત નથી, વાત
છે એક સ્વમાનીપણાની અને
આત્મગૌરવની, જે લંપટ, લોભી,
અહંકારી રાજનેતાઓ અને ભોટ પ્રજા
પાસેથી ક્વચિત અપેક્ષિત નથી.
જો આ જન્મભૂમિ
તમારી માતા કહેવાતી હોય, તો જે ભ્રસ્ટાચારી છે એ શું કહેવાય? જે તમારી માં સાથે ચેંડા
કરે છે અને એ જ નરાધમોને તમે ફરી ફરી ને માથે બેસાડો છો તો એમાં તમારી હીન માનસિકતા
તથા કોઈને પણ તમારી માં ની આબરૂ સાથે અશિષ્ઠ વ્યવહાર કરવા દેવાનું તમારું નપુંસકપણું
જ વિદિત થાય છે.
તમને ફક્ત સરકસ પસંદ
છે અને તમારા લૂંટારા
( આબરૂ તથા સંપત્તિ બંન્ને
) રાજનેતાઓ તમને એજ આપે
છે.
કોની સાથે તમારી
સરખામણી થાય છે અને તમે કોને તમારો પ્રતિદ્વંદી ગણો છો એના પરથી પણ તમારા માનસિક વ્યક્તિત્વનું
માપ મળે છે. જે સિંહ
સમા પરાક્રમ વાળો હોય એ
બીજા કોઈ મદમસ્ત ગજરાજ
સાથે જ હોડમાં ઉતરે
છે અને પોતાનું બળ
અને પરાક્રમ સાબિત કરે છે.
પાકિસ્તાન જેવા સાવ કંગાળ
ભૂખ્યા અને પીડિત શ્વાન
ને લાકડી મારીને તો
કોઈ પણ અશક્ત મરણાસન્ન
ડોસો પણ ભગાડી શકે.
માટે હીન માનસિકતા માંથી
બહાર આવો અને પોતાનું
પૌરુષ બતાવો (જો હોય તો).
ક્રાંતિવાન, સ્વનિર્ભર, સ્વમાની અને શશક્ત બનવા માટે તો શિક્ષણ મેળવવું પડે, સતત અભ્યાસ કરવો પડે, નવા નવા વિચારો જાણવા અને સમજવા પડે, ઘંટ જેવા ધર્મગુરુઓને ત્યજવા પડે અને ભગવાન શ્રીકૃષ્ણ જેવા પૂર્ણ પુરષોત્તમ પાસેથી ગીતાજ્ઞાન મેળવવું પડે, ભ્રષ્ટ રાજનેતાઓના હાડકા ભાંગવા પડે, નાત જાત ના ખોટા ભેદભાવો ભૂલવા પડે. પણ આ બધું તો જે રીતે તમે WhatsApp માંથી જ્ઞાન મેળવીને અને બે ચાર સેલ્ફી મૂકીને સંતોષ માનો છો એ જોતા ઘણું જ કઠિન અને મહદંશે તો અશક્ય જ લાગે છે. તમારી WhatsApp માં વહીયાત ફોરવર્ડ કરવા સિવાય કોઈ ક્ષમતા નથી. જે પ્રજાનો માનસિક આહાર જ વાહિયાત WhatsApp વિષ્ઠા (મળ) છે, એનું માનસિક ઘડતર કોઈ ઉકરડા જેવું હોય એમાં કોઈ નવાઈ નથી. જેમ કોઈ ડુક્કર ફક્ત ગંદકીમાં જ આળોટવાનું પસંદ કરશે એમ આ પ્રજા ઉતારતી કક્ષાના આનંદમાં જ રાચવામાં માને છે.
મને પણ ખબર છે
કે તમે કંઈ એમ
સુધારવાના નથી. આ તો
ફક્ત એટલા માટે કીધું
કે ભવિષ્યમાં કોઈ પૂછે કે
શું આ દેશમાં બધા
ડોબા હતા, ત્યારે પુરાવા
સાથે કહી શકું કે
મેં તો જ્ઞાનની વાત
કરી પણ હતી અને
હું એ માર્ગ પર
એકલપંડે ચાલુ પણ છું,
માટે જા પૂછ તારા
નમાલા પરિવારને કે જેણે તને
સાચી વૈચારિક કેળવણી નથી આપી
અને એક એવા સમાજને
તારો પરિવાર છાવરતો રહ્યો
છે કે જે રાષ્ટ્રવિરોધી,
ભ્રષ્ટ, દંભી અને માયકાંગલો છે.
“ના મુન્ના ના, યે તુમસે ના હો પાયેગા, તુમ્હારે લક્ષણ હમે તો બિલકુલ ઠીક નહિ લગ રહે હૈ. બેટે જાઓ જાકે ટિક્ટોક બનાઓ ઔર ફિર દેખના કુછ સાલ બાદ એ દુનિયા આપકા કૈસા ડિન્ગડોન્ગ બજાતી હૈ.”
રહી વાત
ચાઇના બોયકોટ ની, તો
પપ્પુ પ્રજાનો આ ઉન્માદ પણ
શીઘ્રપતનની જેમ ઓસરી જશે.
વરસાદ પડે કે જેમ
લોકોને રસ્તા પરના ખાડા
યાદ આવે છે એવી
જ આ વાત છે.
હજી સુધી તો તમે
આ તમારા ખાડા પડેલા
મગજ જેવા રોડ બનાવનારનું
કઈ ઉખાડી શક્યા નથી
ને વાતો તો મોટી મોટી દેશપ્રેમ અને બહાદુરીની કરો છો. ચોમાસુ બેસી ગયું છે મોટાભાઈ
જો રોડ પરના ખાડા માટે દર સાલની જેમ આ સાલ પણ રોદણાં રોવાનું ચાલુ કરવું હોય તો કરી
દેજો. કંઈ ભાન છે કે કેટલા વરસથી આમ નપુંસકની જેમ રોકકળ કરોછો? વાયરસ થી મર્યા એના
કરતા વધુ તો લોકો આ રોડ પરના ખાડામાં પડીને ઉકલી જાય છે પણ છેલ્લા કેટલાય વરસોથી તમારા
વિસ્તારના મંત્રીશ્રી તો બદલાયા નથી લગતા, સાચી વાત કે ખોટી વાત? શું બોયકોટ કરવું
અને ક્યારે કરવું એનું ડોબાઓને સાચેજ કંઈ ભાન નથી.
આ બાળબુદ્દિઓને
તો હજી પણ એ ખબર નથી પડી કે સોશ્યલમીડિયામાં DP અને સ્ટેટ્સ બદલવાથી કંઈ દેશ નથી બદલાતો,
કે પછી કેન્ડલમાર્ચ કાઢવાથી કંઈ કળિયુગ જતો નથી રહેતો. દેશના સ્વાભિમાની ઉજ્જવળ ભવિષ્ય
માટે વિવેક બુદ્ધિ અને જરૂર પડે તો બાહુબળ પણ બતાવવાની ખુમારી અને તાકાત જોઈએ, જે માટે
તમે નપુંસકો બિલકુલ સક્ષમ નથી.
માં સરસ્વતી આ ડોબાઓને સદ્દબુદ્દિ આપે એવી પ્રાર્થના.