કારણ એનું એ જ છે કે લોકો સુખી હોતા નથી, લોકો જ્યાં હોય છે ત્યાં એ ખરેખર હોતા નથી,
પ્રયોજન વિના પ્રેમના બે શબ્દો કહેતા નથી, લોકો બસ આનંદથી ખળખળ વહેતા નથી,
કોઈક તરફ આંગળી ચિંધ્યા વગર રહેતા નથી, પક્ષપાત વગર એ કદી સમતાથી રહેતા નથી,
નાનીશી વાતમાં પણ બોલ્યા વગર રહેતા નથી, લોકો ક્ષણિક ગમ પણ કદી સહજ સહેતા નથી,
મૂર્ખતા મનુષ્યોની સર્વ વિદ્વાનોને તો વિદિત છે ‘હૃષી’, છતાં પણ એને સુધારવા એ કેમ કશું કહેતા નથી?
It’s simply
difficult to be simple! Among million reasons to be unhappy, one of the most
important is, not to be where you really are.
Comically speaking,
it is like a person who keeps thinking about spouse while being with paramour
and missing the romantic adventure when locked up with so called significant
half. LOL. (Yes, I have intentionally avoided using he/she because now it’s the
age of equality and both are having the same amount of illicit fun these days
anyway with impending future problems. Ohh, not shaming anyone, rather being
sympathetic for those who have been immaturely institutionalized ). 😉
The hypocrite society which stifles and stigmatizes the expression of love but doesn’t do anything to hinder the hatred is destined to be miserable. Eventually it rests on the individuals how to behave but even wisest of wise don’t want to be bothered to advise them on how to be happy because you know why! Exactly, dumb don’t change. Otherwise unlimited fun is just right on the corner. 🙂
આ જગત છે એક વાર્તા એ જાણતા ઘણા વરસ લાગશે, પછી એના બધા પાત્રો અને કથાનકો બહુ સરસ લાગશે,
દુઃખી જ રહેશે એ, જેને બધું ભિન્નતા ભરેલી જણસ લાગશે, મેળવશે એ અહર્નિશ આનંદ, જેને સહુ સર્વથા સમરસ લાગશે,
કુમતિ જે છે એને તો આ કૃષ્ણ પણ હવે કંસ લાગશે, મૂર્ખાઓના મેળાવડા તો એને શુભ્ર જ્ઞાની હંસ લાગશે,
શોધ્યા કરશો જો એને અહીં તહીં, તો પછી વરસો ના વરસ લાગશે, જાણી જશો કે એ તો છે મહીં, તો મિથ્યા બહારની બધી તરસ લાગશે,
પ્રકાશ અને અંધકાર ની જેને છે ખબર, એ જ્ઞાનીને જ ફર્ક લાગશે, નાસમજ ને જો આપો સ્વર્ગ, તો પણ એને તો એ નર્ક લાગશે,
કહેતા પહેલાં જરા વિચાર તો કરો, કે વાત સાંભળીને કયો મૂર્ખ જાગશે, ભલે એ સત્ય હોય ‘હૃષી’, પણ શ્રદ્ધા વિના તો એ ફક્ત તર્ક લાગશે.
Everybody knows, and
still somehow they don’t! Isn’t it funny?! Everybody seems to know some sort of
philosophy which tells them that what you see is not really what you get, but
still they are not able to grasp the reality! Yes, the reality of reflection.
Reflection of your own projections, sometimes you get it back as expected and
most of the time, as some kind of distorted, mingled menagerie.
As Krishna describes
in Geeta that the one who really knows the essence of the things, remains
unperturbed by the circus around. Same as the ‘projection wall’ of the cinema
hall remains as it is, even though all sorts of movies are being projected on
it. Audience experiences the thrill with mixed emotions of sadness and
happiness, but only the ‘projection wall’ seems to know that all this is not
real!
That unperturbed and enlightened soul is call Sthitpragnya by Shree Krishna in Geeta. Until and unless you come to know what this cinema is all about and learn to detach yourself from unnecessary role playing, your existence is mere misery.
પિંડ જેનો પેદા જ થયો પાણીપોચો, કેમ કરી એને લપટે ક્રાંતિ જ્વાળા,
પાપીના તો પ્રજા ગાતી પ્રશસ્તિ ગાણા, શુભ્ર વસ્ત્ર સજ્જ જેના કામ બધા કાળા,
સત્ય ને જ્ઞાનનો સ્પર્શ તો શક્ય નથી, જેના મગજ પર બાજ્યાં કુમતિના જાળા,
નદીના નામે આતો સાવ નિર્જિવ નાળા, બારદાનોની બુદ્ધિ પર લાગ્યા મોટા તાળા,
‘હૃષી’, શબ્દો ભલે આપના અગનગોળા, પણ લોક હજી ઝૂલે છે બાળબુદ્ધિ હિંડોળા.
ચાઈના
બોયકોટની વાત પરથી યાદ
આવ્યું કે જે આપણી
આંતરિક સમસ્યાઓ છે – અશિક્ષણ/નિરક્ષરતા, ગરીબી,
બેરોજગારી, અસ્વચ્છતા, ભૂખમરો, ભ્રસ્ટાચાર, જાતિવાદ, ધર્માંધતા વગેરે વગેરે – એ
આપણે જો ફકત આપણી
મૂર્ખતાને જ પ્રથમ બોયકોટ
( અર્થાત તિલાંજલિ આપીએ ) કરીએ
તો સરળતાથી નાબૂદ કરી શકીએ.
પછી કોઈ બહારની વ્યક્તિ
કે સંસ્થા કે દેશ
તમારું કંઈ બગાડી નહિ
શકે. પણ સાચી વાત
તો એ છે કે
આ દેશના લોકોની ફક્ત
એક જ જાતિ છે
અને તે છે નાન્યતર
જાતિ – અર્થાત નપુંસક જાતિ,શારીરિક
રીતે નહિ પરંતુ વૈચારિક
અને માનસિક રીતે.
બીજી સાચી
વાત એ છે કે
તમે કોઈનું કશું બગાડી
શકવાના નથી. કારણકે તમારા
ચૂંટેલા રાજનેતાઓ ફક્ત જડબું જ
હલાવી જાણે છે, જડબાતોડ
જવાબ આપવાની એમની કોઈ
હેસિયત કે ઈચ્છા પણ
નથી. જવાબ તો તમે
નેપાળ કે બાંગ્લાદેશને પણ
નથી આપી શક્યા તો
ચીનની તો વાત જ
અલગ છે. સૈન્ય શક્તિની
આમાં વાત નથી, વાત
છે એક સ્વમાનીપણાની અને
આત્મગૌરવની, જે લંપટ, લોભી,
અહંકારી રાજનેતાઓ અને ભોટ પ્રજા
પાસેથી ક્વચિત અપેક્ષિત નથી.
જો આ જન્મભૂમિ
તમારી માતા કહેવાતી હોય, તો જે ભ્રસ્ટાચારી છે એ શું કહેવાય? જે તમારી માં સાથે ચેંડા
કરે છે અને એ જ નરાધમોને તમે ફરી ફરી ને માથે બેસાડો છો તો એમાં તમારી હીન માનસિકતા
તથા કોઈને પણ તમારી માં ની આબરૂ સાથે અશિષ્ઠ વ્યવહાર કરવા દેવાનું તમારું નપુંસકપણું
જ વિદિત થાય છે.
તમને ફક્ત સરકસ પસંદ
છે અને તમારા લૂંટારા
( આબરૂ તથા સંપત્તિ બંન્ને
) રાજનેતાઓ તમને એજ આપે
છે.
કોની સાથે તમારી
સરખામણી થાય છે અને તમે કોને તમારો પ્રતિદ્વંદી ગણો છો એના પરથી પણ તમારા માનસિક વ્યક્તિત્વનું
માપ મળે છે. જે સિંહ
સમા પરાક્રમ વાળો હોય એ
બીજા કોઈ મદમસ્ત ગજરાજ
સાથે જ હોડમાં ઉતરે
છે અને પોતાનું બળ
અને પરાક્રમ સાબિત કરે છે.
પાકિસ્તાન જેવા સાવ કંગાળ
ભૂખ્યા અને પીડિત શ્વાન
ને લાકડી મારીને તો
કોઈ પણ અશક્ત મરણાસન્ન
ડોસો પણ ભગાડી શકે.
માટે હીન માનસિકતા માંથી
બહાર આવો અને પોતાનું
પૌરુષ બતાવો (જો હોય તો).
ક્રાંતિવાન, સ્વનિર્ભર, સ્વમાની અને શશક્ત બનવા માટે તો શિક્ષણ મેળવવું પડે, સતત અભ્યાસ કરવો પડે, નવા નવા વિચારો જાણવા અને સમજવા પડે, ઘંટ જેવા ધર્મગુરુઓને ત્યજવા પડે અને ભગવાન શ્રીકૃષ્ણ જેવા પૂર્ણ પુરષોત્તમ પાસેથી ગીતાજ્ઞાન મેળવવું પડે, ભ્રષ્ટ રાજનેતાઓના હાડકા ભાંગવા પડે, નાત જાત ના ખોટા ભેદભાવો ભૂલવા પડે. પણ આ બધું તો જે રીતે તમે WhatsApp માંથી જ્ઞાન મેળવીને અને બે ચાર સેલ્ફી મૂકીને સંતોષ માનો છો એ જોતા ઘણું જ કઠિન અને મહદંશે તો અશક્ય જ લાગે છે. તમારી WhatsApp માં વહીયાત ફોરવર્ડ કરવા સિવાય કોઈ ક્ષમતા નથી. જે પ્રજાનો માનસિક આહાર જ વાહિયાત WhatsApp વિષ્ઠા (મળ) છે, એનું માનસિક ઘડતર કોઈ ઉકરડા જેવું હોય એમાં કોઈ નવાઈ નથી. જેમ કોઈ ડુક્કર ફક્ત ગંદકીમાં જ આળોટવાનું પસંદ કરશે એમ આ પ્રજા ઉતારતી કક્ષાના આનંદમાં જ રાચવામાં માને છે.
મને પણ ખબર છે
કે તમે કંઈ એમ
સુધારવાના નથી. આ તો
ફક્ત એટલા માટે કીધું
કે ભવિષ્યમાં કોઈ પૂછે કે
શું આ દેશમાં બધા
ડોબા હતા, ત્યારે પુરાવા
સાથે કહી શકું કે
મેં તો જ્ઞાનની વાત
કરી પણ હતી અને
હું એ માર્ગ પર
એકલપંડે ચાલુ પણ છું,
માટે જા પૂછ તારા
નમાલા પરિવારને કે જેણે તને
સાચી વૈચારિક કેળવણી નથી આપી
અને એક એવા સમાજને
તારો પરિવાર છાવરતો રહ્યો
છે કે જે રાષ્ટ્રવિરોધી,
ભ્રષ્ટ, દંભી અને માયકાંગલો છે.
“ના મુન્ના ના, યે તુમસે ના હો પાયેગા, તુમ્હારે લક્ષણ હમે તો બિલકુલ ઠીક નહિ લગ રહે હૈ. બેટે જાઓ જાકે ટિક્ટોક બનાઓ ઔર ફિર દેખના કુછ સાલ બાદ એ દુનિયા આપકા કૈસા ડિન્ગડોન્ગ બજાતી હૈ.”
રહી વાત
ચાઇના બોયકોટ ની, તો
પપ્પુ પ્રજાનો આ ઉન્માદ પણ
શીઘ્રપતનની જેમ ઓસરી જશે.
વરસાદ પડે કે જેમ
લોકોને રસ્તા પરના ખાડા
યાદ આવે છે એવી
જ આ વાત છે.
હજી સુધી તો તમે
આ તમારા ખાડા પડેલા
મગજ જેવા રોડ બનાવનારનું
કઈ ઉખાડી શક્યા નથી
ને વાતો તો મોટી મોટી દેશપ્રેમ અને બહાદુરીની કરો છો. ચોમાસુ બેસી ગયું છે મોટાભાઈ
જો રોડ પરના ખાડા માટે દર સાલની જેમ આ સાલ પણ રોદણાં રોવાનું ચાલુ કરવું હોય તો કરી
દેજો. કંઈ ભાન છે કે કેટલા વરસથી આમ નપુંસકની જેમ રોકકળ કરોછો? વાયરસ થી મર્યા એના
કરતા વધુ તો લોકો આ રોડ પરના ખાડામાં પડીને ઉકલી જાય છે પણ છેલ્લા કેટલાય વરસોથી તમારા
વિસ્તારના મંત્રીશ્રી તો બદલાયા નથી લગતા, સાચી વાત કે ખોટી વાત? શું બોયકોટ કરવું
અને ક્યારે કરવું એનું ડોબાઓને સાચેજ કંઈ ભાન નથી.
આ બાળબુદ્દિઓને
તો હજી પણ એ ખબર નથી પડી કે સોશ્યલમીડિયામાં DP અને સ્ટેટ્સ બદલવાથી કંઈ દેશ નથી બદલાતો,
કે પછી કેન્ડલમાર્ચ કાઢવાથી કંઈ કળિયુગ જતો નથી રહેતો. દેશના સ્વાભિમાની ઉજ્જવળ ભવિષ્ય
માટે વિવેક બુદ્ધિ અને જરૂર પડે તો બાહુબળ પણ બતાવવાની ખુમારી અને તાકાત જોઈએ, જે માટે
તમે નપુંસકો બિલકુલ સક્ષમ નથી.
માં સરસ્વતી આ ડોબાઓને સદ્દબુદ્દિ આપે એવી પ્રાર્થના.
જો લાગે કૈંક સારું, તો કેટલું એને માણ્યા કરવું? કે પછી લઈશું એનો સ્વાદ, કહી ટાળ્યા કરવું?
શું અકરાંતિયા બની અહર્નિશ અંતરને બાળ્યા કરવું? કે પછી સંતોષ થયો છે, એવું ફક્ત દેખાડ્યા કરવું?
જો એને જોઈ ના શકો તો શું ફક્ત એને જાણ્યા કરવું? કે પછી મેળવવાની ઈચ્છા વગર ફક્ત નિહાળ્યા કરવું?
અવિરત અપેક્ષાઓને અંતરમાં જ ઘોળ્યા કરવું? કે પછી સંયમની સાપેક્ષ સઘળું તોલ્યા કરવું?
શક્ય ન હોય જ્યાં, કે શું લેવું ને શું ખાળ્યા કરવું, જાગ્રત મનનું કામ એટલું, કે આ બધું ચાળ્યા કરવું,
પારકી પંચાતોથી પર, મન અંતર્મુખ વાળ્યા કરવું, ભજન કીર્તન ભૂલી આ એક જ વ્રત પાળ્યા કરવું,
સંસારનો ખરેખર વ્યર્થ એ બધો વ્યવહાર છે હૃષી, જે આપ નથી એ પ્રયત્નથી સૌને દેખાડ્યા કરવું,
જો અનિત્ય અસ્તિત્વની પાર જવું જ હોય હૃષી, તો પરમતત્વમાં મન અવિરત ઓગાળ્યા કરવું.
To be, or not to be, that is the question – uttered by all of
us from time to time. Most of the people
think that some of the questions are better left unanswered and there is no
solution to existential misery.
But I beg to differ and I believe that such indecisiveness
arises from the lack of awareness of mind. A mature aware mind – a Sthitpragnya
will not be succumbed to such vicissitudes and infirmity of mind. When a person
becomes enlightened, all things starts to fall into the place without any
effort. A state of eternal bliss, isn’t it? 🙂