Category : Thoughts in Gujarati

ગુજરાતી બાળકનો પત્ર



વિદ્વાન મિત્રો ગંભીર ના બની જાય એના માટે થોડું હાસ્ય

ડોક્ટરો વૈદકીય ઈલાજો સુચવીને ગ્રુપને સ્વસ્થ રાખે છે તો હું થોડા વિનોદ દ્વારા સત્યને ઉજાગર કરતી થોડી ગમ્મ્ત કરીશ.

એક ચેતવણી : સ્ટ્રોંગ રાજકીય મત ધરાવતા મિત્રોએ આગળ વાંચીને મગજની નસો ખેંચવી નહિ. કારણકે લલ્લુ પ્રજા માટે કોઈ પણ સરકાર હોય કાંઈ ફરક પડતો નથી. સો જસ્ટ ચીલ


ગુજરાતના એક નાના બાળકનો દિલ્લીમાં રહેતા એના મમ્મી પપ્પાને પત્ર

( આમાં કયું પાત્ર કોણ છે એ તો આપ સુશિક્ષિત મિત્રો જાણી જ ગયા હશો )

મારા વહાલા મમ્મી પપ્પા,

જય શ્રીરામ સાથે જણાવવાનું કે આપ મારા જેવા ધાવતા બાળકને આમ મૂકીને જતા રહ્યા છો તો મને બહુ એકલું એકલું લાગે છે. જતા પહેલા તમે તો કહેતા હતા કે મારે તો અહીંયા કશુંજ કરવાનું નથી. ફક્ત ઘોડિયામાં ઝૂલવાનું છે અને મમ્મી પપ્પાની આજ્ઞા ઝીલવાની છે. પણ આ કોરોનાના સંકટે  તો બધી બાજી જ બગાડી દીધી છે. મામા ને કાકાઓ કહેતા હતા કે તમે તો કોઈ દીદી જોડે બીઝી છો એટલે આવતા વાર લાગશે. પણ તમે તો ક્યારેય કહ્યું નથી કે મારે એક દીદી પણ છે!

એ જે હોય તે, પણ તમે વહેલા ઘરે આવો. લોકો પણ કહે છે કે કાળીનાગ અને કંસ ગોકુલ છોડ્યા પછી મથુરામાં પાછા દેખાતા નથી. એ કૃષ્ણ અને બલરામની વાર્તા હતી કે કાળીનાગ અને કંસની એ હું ભૂલી ગયો છું પણ એવુજ કંઈક હતું. અત્યારે રામની વાર્તાઓ યાદ રાખવામાં હું એ બધું ભૂલી જાઉં છું, પણ તમે જલ્દી આવો અને મને લોકોના મહેણાંટોણા અને રોષથી બચાવો. જુઠ્ઠું બોલવાના અને ગપ્પા મારવાના સંસ્કારતો આપણા કુળમાં ગળગૂંથીથી જ અપાય છે પણ મને હજુ એટલું બોલતા આવડતું નથી અને મારી કાલીઘેલી વાતોની મીડિયા મજાક ઉડાડે છે. ( જોકે આમ તો  મીડિયા આપનાથી ડરે છે એટલે બહુ કાંઈ વાયરલ થતું નથી એટલી હાશ છે ) 

ચિંતા ના કરતા, મેં ( અને તમે પણ ) આટલું બધું બાફ્યું છે છતાં અહીં તમારો કોઈ ઉધડો નહિ લે. ઉપરથી આ નમાલી પ્રજા તો આપને ફૂલડે વધાવશે.

એક નવું નક્કોર સ્મશાન બનાવીને રાખ્યું છે. આપ આવો પછી જ રીબીન કાપીએ. આશા છે કે ત્યારે પણ સ્મશાનમાં આટલી જ લાઈનો હશે.   (મેડ ઈન ચાઈના છે પણ એ જ લોકો સૌથી વધુ કમિશન આપવા તૈયાર હતા. ખરેખર પપ્પા મેક ઈન ઇન્ડિયા કરે છે પણ આપણા વાળાઓને જયારે પૂછીએ ત્યારે એક જ જવાબ આપે છે કે પોસાતું નથી. કોઈને ધંધો કરતાં જ નથી આવડતું બોલો.)

મમ્મી પપ્પાને કહેજે કે પૈસાની ચિંતા નથી. નોટબંધી વખતના હજુ ચાલે છે. વેન્ટિલેટર બેન્ટીલેટર પાછળ ખોટા ખરચા કર્યા નથી. આમેય 5/10 દિવસે મરવાના જ હોય એમને ક્યાં ટોટીઓ નાખીને હેરાન કરવા. હા એક નવું એરોપ્લેન લીધું છે કારણકે બધા સગાસંબંધીઓ ઘરે રહીને અકળાઈ ગયા છે તો ખાલી ખાલી અમદાવાદ મહેસાણા વચ્ચે આંટા ફેરા મારીને મન હળવું કરીએ છીએ. અને ઉપર રહીને પ્રજાથી સેફ ફિઝિકલ ડિસ્ટન્સ જાળવી રાખીએ છીએ.

લિ.

આપનો ઘોડિયામાં રમતો.. બકુડો ચકુડો…

તા.ક. : આવો ત્યારે કેટલાના ટોળા ભેગા કરવાના છે એ થોડું અગાઉથી જણાવજો કારણકે અત્યારે ઘણા તલાટી અને શિક્ષકો કોરોનાગ્રસ્ત હોવાથી એટલું જલ્દી લોકોને પૈસા ( અને સુરા )ની લાલચે બોલાવી નહિ શકે.


Category : Gujarati Poem , Thoughts in Gujarati

દેશનું ભવિષ્ય



ભૂતોને ભજીને જો તમે ભગવાન કરો,
પછી ના કહો ઈશ્વરને કે કલ્યાણ કરો,
મૂર્ખાઓને તો એ જ કહેવાનું છે હૃષી,
મોતને માથે બેસાડયું છે તો હવે મરો.


મિત્રો,

ભાઈઓ ઔર બહેનો,

યે અનપઢ, ગંવાર ઔર ગુંડો કો સંસદમેં કિસને બિઠાયા? આપને.

હમ જૈસે જુઠે, ભ્રષ્ટ ઔર ગપ્પીદાસો કે હાથોંમેં દેશ કો કિસને થમાયા? આપને.

ખુદ અંધભક્ત બનકે હમે ભગવાન કિસને બનાયા? આપને.

અબ જબ દેશકે સાથ ગદ્દારી કરકે, આપની માં જૈસી જન્મભૂમિ કો હમારે જૈસે હવસખોરો કે હાથોંમેં આપને ઇતને પ્યારસે દે દિયા હૈ, તો બોલો મેરે પ્યારે દેશવાસીઓ, આપકો આપને પાપોકી સજા મિલની ચાહિયે કી નહિ મિલની ચાહિયે? 😉

ચાલો આ તો થઇ એક રાજકારણીની મનની વાત. પણ વાત તો સાચી છે, શું કહો છો મોટાભાઈ? 😉

ખરેખર તો આ દેશના લોકો દયાને પાત્ર નથી પણ હાંસી ને પાત્ર છે. મોટા ભાગનાને અક્કલ નથી એટલે આટલી સીધી વાત સમજાતી નથી કે આપણી પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. ગરીબો રડારોળ કરે છે કે એમના દૂખ કોઈ દૂર નથી કરતુ, પરંતુ ચૂંટણી વખતે બે ચાર વાર દારૂ અને ચવાણું ખાઈને એ કોને વોટ આપે છે? ત્યારે તો કોઈ સજ્જનને પૂછવા નથી જતા કે મોટાભાઈ અમને ખબર નથી પડતી પણ આપ સલાહ આપો કે અમારા કલ્યાણ માટે કોને વોટ આપીએ. બીજો આખો મૂરખ વર્ગ ફક્ત ધર્મ અને જાતિ ને જ જુએ છે. તમારા ધરમભાઈઓ જ પછી તમારું ધોતિયુ ખેંચીને ખસી કરે છે અને નાતીવાળા જ ચૂંટાયા પછી તમે આજીવન ભૂખ્યા નાગા રહો એની પુરેપુરી તકેદારી રાખે છે.

તમે નહિ તો તમારો કોઈ લાડકો કે સગો, આજે જો કોરોનાથી બચી જશો તો કાલે એ કોઈ રોડના ખાડામાં પડી મરશે. કોઈ રખડતી ગાયોની હડફેટે સ્વર્ગવાસી થશે. કોઈ તબીબી સુવિધાના અભાવે જશે કે પછી એ મેળવવા માટે જરૂરી આવક માટે યોગ્ય રોજગાર ના મળવાથી જીવન ટૂંકાવશે. શૂરવીર સૈનિકો તો આમતેમ વગર કારણે શહીદ થયા જ કરે છે. કોઈ ગંદકી જન્ય રોગોને શરણે થશે અને કોઈ ખાદ્ય પદાર્થોની ભેળસેળના ભરડામાં જશે.

પ્રધાનસેવક તો મોર રમાડવામાં જ મશગુલ છે માટે મોત સામે તો તમારે જ લડવું પડશે. આમ ભલે રાજકારણીઓને લોકો ગપ્પીદાસ કહેતા હોય પણ એક વાત તો એમણે સ્પષ્ટ જ કહી છે કે અમારો ઉદ્દેશ ફક્ત વિરોધપક્ષ મુક્ત ભારત કરવાનો છે, ભ્રષ્ટાચાર કે બળાત્કાર મુક્ત કરવાનો નહિ. અને શિક્ષણ તો અમે આપવા માંગતા જ નથી. એટલે તો સરકારી શાળાઓ બંધ કરી છે. શિક્ષિત બેરોજગાર મુક્ત ભારત માટે જ તો… 😉

હવે જો તમે મંદિરોમાં જઈને રડતા હોવ કે હે ઈશ્વર મદદ કરો તો એ પ્રભુ વતી આ પ્રભુસેવકનો એક નમ્ર સંદેશો છે કે, બેટા આ જ તો તારા કર્મોનું ફળ છે. 😉

વિકાસ ક્યાં છે એ છોડો અને અત્યારે વેન્ટિલેટર શોધો… 😉

Category : Gujarati Poem , Thoughts in Gujarati

સરકારી ડિસિઝન – (આયુર્વેદિક સર્જન)



સુનો  ભાઈ  સાધો,  સરકાર  કે  ડિસીઝનમાં કભી કછુ  લોજીક નાહે,
અગર  મંત્રીમાં  મગજ  હોત,  તો વો  ખુદહી  દાકતર ના બન જાહે?

મંતરીવા  તો  મૂરખ  જાત,  આપન  ઇતને  કછુ  નાહી  ગભરાવે,
સબહું  રામ  શરણ  ભજી  જાવે, ઇહાં તો રઘુવીર  હી  દેશ  ચલાવે,

કોન  મારત  હૈ  કોન  તારત હૈ,  કૈસે  કૈસે  માયા કે ખેલ દિખાવે,
આપનહી  જબ  હૈ  મૂરખ  જાત,  સરકારન  કો  કાહે  દોષ  લાવે?

આજ  આયુર્વેદિક   કરહે,  કલ  કો  હમ  ઈન્જીનીયરવા  ભી  કરહે,
જબ  સરકાર  હમરી  ઇતના  સોચત, કોઈ  કાહે  ઇહાં  બેકાર રહહૈ!

કૌન  કભી  ઐસા  સોચત,  બંદરવા  ભી  કભી  ઇતના  વિકાસ કરહૈ,
રામ  કિરપા પાવત, ઈ  અનપઢ મૂરખ જાત કલિયુગમાંહી રાજ કરહૈ!

ઇહાં  પઢાઈ  કી કછુ નાહીં જરૂરત, સબ  કામ જબ અનપઢ ખુબ કરહૈ,
ઈ રામરાજમાં રામકી જરૂરત નાહીં હૃષી, બંદરવા હી સબ ડિસાઈડ કરહૈ!



મિત્રો, જો તમે આયુર્વેદિક સર્જનોના પ્રહારથી જીવતા રહી શકશો તો એ દિવસ પણ દૂર નથી જયારે તમે અમારા જેવા ઇજનેરી શાખાના હોનહાર સ્નાતકો પાસે સર્જરી કરાવતા હશો. 😉

સમાચાર પ્રમાણે સરકારશ્રીએ આયુર્વેદિક સર્જનોને આંખ, કાન, નાક અને ગાળાની 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપી છે. પણ અમે ઇજનેરો તો ફક્ત બેની જ માંગીએ છીએ. મગજ અને મૂત્રપિંડને લગતી !! અર્થાત, ન્યુરોલોજી અને યુરોલોજી.

કારણ કે બંનેમાં જો કોઈ ભૂલચૂક થાય તો કોઈ વાંધો નથી. કારણકે મગજ કોઈને છે નઈ અને હોય તો પણ ક્યાં વાપરે છે! વળી, બધાજ જાણે છે કે વૃષણ અને વિચારક્ષમતાને કોઈ લેવાદેવા નથી. એટલે કોઈનું કથિત પૌરુષત્વ જો અમારી સર્જરીથી જતું રહે તો પણ એ વિચારશીલ રહી આત્મનિર્ભર તો બની જ શકે છે! અને એટલી વસ્તી છે કે કોઈની વંશવૃદ્ધિ જો અટકી જાય તો પણ એ દેશ માટે ફાયદાકારક જ છે.

મેં તો આજથી જ ડૉક્ટર મિત્રો પાસેથી ટ્યૂશનની શરૂઆત કરી દીધી છે. તો મારા બીજા ઇજનેરી શાખાના મિત્રોને પણ સલાહ છે કે પકોડા તળવાનું મૂકીને આવનારા પેશન્ટોને કેવીરીતે તોડવા એનો બંદોબસ્ત કરવામાં લાગી જાઓ.

ધન્ય છે આ સરકાર, ધન્ય છે એનું મંત્રીમંડળ અને સલાહકારો.

એક સાથે બોલો મિત્રો,

હમ સબને આજ નિશ્ચય કિયા, હર એક દેશવાસી કરેગા શલ્યક્રિયા  

રામ લલ્લા ચાહે હમ મર ભી જાયેંગે, સર્જરી હમ એન્જીનીઅર સે હી કરવાએગે

ઘર ઘર યહી નારા હૈ, યે સ્કાલપેલ હમારા હૈ

ઈશ્વર આ ડફોળોને સદબુદ્ધિ આપે હા હા હા :))

Category : Thoughts in Gujarati

વીર પરગ્રહવાસી અને રોડાસુર સંગ્રામ કથા



કોઈ એક દૂર ગ્રહમંડળમાં આપડી પૃથ્વી જેવો એક ગ્રહ હતો. તેમાં ભારત જેવો જ એક પ્રદેશ હતો. એ પ્રદેશમાં ભ્રષ્ટાસુરના પુત્ર રોડાસુર નામના એક રાક્ષસનો ખુબ જ ત્રાસ હતો. રોડાસુર ગમેત્યારે ગમેતે રોડ પર ગમેતેવા મોટા મોટા ખાડા પાડી દેતો. ઘણીવાર તો આગળ રોડ બનતો હોય અને પાછળ રોડાસુર એના વિકરાળ મુખથી રોડને પાછળથી બચકા ભરી ભરીને ગળી જતો હોય. ઘણીવાર તો કોઈક જગ્યાએ વર્ષો સુધી રોડ દેખાય જ નહિ અને સરકારી ચોપડે તપાસ કરતા માલુમ પડે કે એ જગ્યાએ તો છેલ્લા પાંચ વર્ષમાં વિકાસશીલ સરકાર દસ દસ વાર રોડ બનાવી ચુકી છે. આ જ વાત રોડાસુરની ભયાનકતા દર્શાવે છે કે આ દૈત્ય રોડ તો જવાદો, આખેઆખા રોડ બનાવનાર શ્રમજીવીઓ તથા વિશાળકાય મશીનો સુધ્ધા ગળી જાય છે અને અવશેષ પણ શેષ રાખતો નથી. લોકો ખરેખર આ રોડાસુર દૈત્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા કારણ કે રોજ કોઈકના માસુમ બાળકો તો કોઈકના માતાપિતા આ રોડાસુર પોતાના ખાડામાં પાડી છીનવી લેતો. દર વર્ષે હજારો લોકો આ રોડાસુરનો ભોગ બનતા.

આમ રોડાસુરના ત્રાસમાં ઘણા વર્ષો વીતી ગયા. પછી એક દિવસ ચમત્કાર થયો. એ ગ્રહવાસીઓ પણ આપણી જેમ જ નવરાત્રીનો ઉત્સવ મનાવતા અને આદ્યશક્તિ માં જગદંબાની આ રોડાસુરના ત્રાસથી મુક્તિ અપાવવા આરાધના કરતા. એ દિવસે માં જગતજનની શાક્ષાત પ્રગટ થયા અને આકાશવાણી થઇ. આકાશવાણી એ કહ્યું ,”હે શુરવીરો, તમે આવી વીર પ્રજા થઇ ને કેમ આ રોડાસુરનો ત્રાસ સહન કરો છો. મેં તમને જે મગજ આપ્યું છે એ થોડું તો ચલાવો અને આ રોડાસુર પર વિજય મેળવો” પછી એ ગામના વડીલોએ એક યુક્તિ વિચારી અને યુવાનોએ તેનો અમલ કર્યો.

ગામના મંત્રીશ્રીની આગેવાની હેઠળ, રોડ કોન્ટ્રાક્ટરને રોડાસુર સંગ્રામ માટે સેનાપતિ નિયુક્ત કરાયા. પછી એ બંને વીર યોદ્ધાઓએ રોડાસુરે ચોમાસામાં તાજાજ પાડેલા એક વિશાળકાય ભુવામાં જંપલાવ્યું. એક અન્ય પૌરાણિક હસ્તપ્રત એવું પણ કહે છે કે ગામના લોકોએ જ આમને બાંધીને…. પણ આ આપડા કરતા અલગ એક વીરોનો દેશ હોવાથી આપણે એવુજ માનીશું કે મંત્રી અને કોન્ટ્રાક્ટરે સ્વયં રોડાસુર સંગ્રામની આગેવાની લીધી.

એવું કહેવાય છે કે એ ઘટના પછી આજે લખો વર્ષો પછી પણ એ ગ્રહની સંસ્કૃતિએ બનાવેલા રોડ હજી પણ એવાજ રહ્યા છે, અર્થાત એક પણ ખાડા વગરના.

આ વીર પરગ્રહવાસી અને રોડાસુર સંગ્રામની વાર્તાનો જે કોઈ વીર સો વાર પાઠ કરશે એના ગામ પરથી રોડાસુરનો પ્રકોપ જશે અને રોડ આપોઆપ સુધારી જશે. જો તમે બાયલા પુરુષ હોવ તો પણ આ વાર્તા જો તમારા બાળકોને સંભળાવશો તો આવનારી નવી પેઢી રોડાસુરાના ત્રાસથી બચી જશે.


કથા બોધ

જેને માં જગદંબાની આકાશવાણી સમજાશે એ રોડાસુર પર અવશ્ય વિજય પ્રાપ્ત કરશે.


હે મૂર્ખ દેશવાસીઓ, આ ગુરુજી આપની મૂર્ખતાની ફક્ત મજાક જ નથી ઉડાડ્યા કરતા. આવી સુંદર બોધકથાઓ દ્વારા તમને અજ્ઞાની માંથી જ્ઞાની બનવાનો સાચો માર્ગ પણ બતાવે છે. પછી બધું તમારા હાથમાં છે. 😉