આ દેશમાં સૌને મનફાવે તે લીલા કરવાનો અધિકાર છે,
ધર્મના નામે અધર્મ, શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા પારાવાર છે,
યુવાનો કેમ બેકાર બેઠાં છો, મુર્ખાઓની ફસલ તૈયાર છે,
પ્રામાણિક બનીને મરવું છે કે સાધુ બનવાનો વિચાર છે?!
યુવાનો બોલો, તમારે ભજીયા તળવા છે કે પછી ભજન કરવાં છે?
ફરક એટલો છે કે, ભજીયા આખી જિંદગી તળવા પડશે જયારે બીજી બાજુ, 2-5 વર્ષમાં જ લોકો તમારા ભજન કરતાં થઇ જશે.
જો મૌન રહેશો તો લોકો તમારા હોઠ ફફડતા જોવા તલસી જશે. જો કંચન-કામિનીનો ત્યાગ કરશો ( ગભરાશો નહિ, ખાલી એવો ઢોંગ કરવાનો છે ) તો બંને સ્વયં વરસી પડશે. એ તો વરસશે પણ એમાં લપસ્યા તો….કંચનનો તો વાંધો નહિ, પણ કામિનીમાં થોડું ધ્યાન રાખવું પડશે. આઈ મીન, લીલાઓ જાહેર ના થાય ત્યાં સુધી તો જલસા છે. જાહેર થયા પછી બધું તમારી ચમત્કારી શક્તિ પર છે કે કેટલા વિટનેસને તમે ગાયબ કરી શકો છો.
આમ ધંધો ખોટો નથી મોટાભાઈ…. આ દેશના મુર્ખાઓ ઈશ્વરના નહિ પણ વ્યક્તિપૂજા ના ચાહક છે… અરે એની પાછળ ગાંડા છે એમ જ સમજો ને.
ટ્યૂશન વગર તો પાછું તમને કાંઈ આવડશે નઈ તો, …. લોકલ એક્પર્ટ તો અત્યારે જેલમાં છે અને બીજા એક પર આજે જ કોઈ એ બળાત્કારનો આરોપ મુક્યો છે પણ, નિત્યાનંદબાબા જે હાલમાં વિદેશમાં સ્થિત છે તે ઝૂમ ક્લાસ કરે છે તો કાલે ફી લઈને આવજો… 😉